SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ . दृष्टिपूतं न्यसेत् पादं मनःपूतं समाचरेत् ॥२७॥ સત્યથી પાવન થયેલ વચન બોલવું, વસ્ત્રથી ગળેલ પાણી પીવું, દષ્ટિથી જોઇને પગ મૂકવો અને પવિત્ર મનથી આચરણ કરવું. l૨૭ स्वाधीनेऽपि कलत्रे नीचः परदारलम्पटो भवति । સપૂડપ તડાને ઃ સુષ્મ વિવતિ ર૮. સ્ત્રી પોતાને સ્વાધીન હોવા છતાં નીચજન પરસ્ત્રીમાં આસક્ત થાય છે, જેમ તળાવ પાણીથી પૂર્ણ હોવા છતાં કાગડો કુંભનું જળ પીવા જાય છે. રા सुरूपं पुरुषं दृष्ट्वा पितरं भ्रातरं सुतम् । देहः क्लिन्दति नारीणा-मामपात्रमिवाम्भसा ।।२९॥ રૂપવાનું પુરુષને જોતાં-પછી તે પોતાના પિતા, ભ્રાતા કે પુત્ર હોયજળથી કાચા કુંભની જેમ સ્ત્રીઓનું શરીર વિશેષ આદ્ર બનતું જાય છે. તેરા स पण्डितो यः करणैरखण्डितः, स तापसो यो निजपापतापकः । स दीक्षितो यः सकलं समीक्षते; ___स धार्मिको यः परमर्म न स्पृशेत् ॥३०॥ તે જ પંડિત છે કે જે જિતેંદ્રિય છે, તે જ તાપસ કે જે પોતાના પાપને નષ્ટ કરનાર છે, તે જ દીક્ષિત કે જે બધું જોઈ શકે છે અને તે જ ધાર્મિક કે જે પરના મર્મને પ્રગટ કરતો નથી. IIકol सुकरं मलधारित्वं सुकरं दुस्तरं तपः । सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तरोधनम् ॥३१॥ મેલને ધારણ કરવું તે સુગમ છે, દુસ્તર તપ તપવું-તે પણ સુગમ છે, ઇંદ્રિયોને તાબામાં રાખવી તે પણ સુગમ છે, પણ મનને વશ રાખવું તે દુષ્કર છે. ૩૧|| – ૨૭૦ ––
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy