________________
પોતાના લલાટપટ્ટપર વિધાતાએ જે ઓછું કે વધારે ધન લખેલ છે, તેટલું ધન તો કદાચ મારવાડમાં જાઓ, તો પણ અવશ્ય મળવાનું જ છે, તેમજ મેરુપર્વત પર જતાં તેથી અધિક લેશ પણ મળવાનું નથી, માટે હે ભદ્ર! તું ધનવંતોમાં ધીર બની જા, વૃથા કૃપણવૃત્તિને ધારણ ન કર. જુઓ, કુવામાં કે સમુદ્રમાં ઘટ તો સમાન જળને જ ગ્રહણ કરે છે.
112811
यत्रात्मीयो जनो नास्ति भेदस्तत्र न विद्यते । कुठारैर्दण्डनिर्मुक्तैर्भिद्यन्ते तरवः कथम् ।। २५ ।।
જ્યાં આત્મીય(સંબંધી)જન નથી ત્યાં ભેદ થઈ શકતો નથી, કારણકે દંડ વિનાના કુહાડા વૃક્ષને ભેદી શકતા નથી. I॥૨૫॥ यदा किञ्चिज्ज्ञोऽहं द्विप इव मदान्धः समभवं, तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मनः । यदा किञ्चित्किञ्चिद् बुधजनसकाशादवगतं; तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगतः ।। २६ ।। જ્યારે હું કંઇક લેશમાત્ર જાણતો હતો, ત્યારે હાથીની જેમ મદાંધ બની ગયો હતો, અને હું સર્વજ્ઞ છું, એમ માની મારું મન અત્યંત ગર્વિષ્ઠ થઈ ગયું હતું; પણ જ્યારે સુજ્ઞજનોના સંગથી કંઈ કંઈ મારા જાણવામાં આવ્યું, ત્યારે મને લાગ્યું કે ‘હું મૂર્ખ છું’ એમ મારા મનમાંથી જ્વરની જેમ મદ દૂર થઈ ગયો. ૨૭
यावत्स्वस्थमिदं शरीरमरुजं यावच्च दूरे जरा, यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः । आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान्; सन्दीप्ते भवने हि कूपखननं प्रत्युद्यमः कीदृशः ।। २७ ।। જ્યાં સુધી આ શરીર નિરોગી છે, જ્યાં સુધી જરા દૂર છે, જ્યાં સુધી ઇંદ્રિયોની શક્તિ અપ્રતિહત(સહીસલામત) છે અને જ્યાં સુધી આયુષ્યનો
૨૦૯