SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ થતો નથી, જેનો સંદેહ ન થયો હોય ત્યાં ઈહા થતી નથી, ઇહાનો વિષય ન થયો તેમાં અપાય થતો નથી, જ્યાં અપાય થયો ન હોય ત્યાં ધારણા થતી નથી. ____ अदृष्टे वस्तुनि अवग्रहो न भवति, अनवगृहीते संदेहो न भवति, असन्दिग्धे-ईहा न भवति, अनीहिते अवायो न भवति, अवायाऽविषयीकृते વસ્તુનિ હાર ન મતિ / ૨૬ ટીકાનો અર્થ સૂત્રના અર્થ પ્રમાણે જાણી લેવો. એટલે કે સૂત્રના અર્થ ઉપરથી ટીકાનો અર્થ સ્પષ્ટ જણાઈ જાય છે. જુદો લખવાની જરૂર રહેતી નથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે વસ્તુનું પ્રથમ દર્શન જ ન થયું હોય તો તેનો અવગ્રહ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. અને જો “આ કંઈક છે' એવો સામાન્ય અવગ્રહ જ ન થયો હોય તો શું આ સર્પ હશે કે રજુ ? એવો સંશય કેમ થઈ શકે ? અને સંશય વિના ઈહા અને ઈહા વિના અપાયા અને તેના વિના ધારણા થઈ શકતી નથી જો અંકુરો જ ફૂટ્યો ન હોય તો થડ કેમ થાય ? જો થડ ન થાય તો શાખા પ્રશાખા ફૂલ ફલ કેમ થાય ? માટે તેની જેમ આ ક્રમે જ જ્ઞાનોત્પત્તિ થાય છે. તેમ જાણવું. क्वचिदेषां तथाक्रमानुपलक्षणे. कारणमाहुः - ક્યારેક ક્રમનું ભાન થતું નથી તેનું કારણ સદૃષ્ટાન્ત જણાવે છે. क्वचित् क्रमस्यानुपलक्षणमेषाम् आशूत्पादाद् उत्पलपत्रશતવ્યતિપ્રેમવત્ છે -૨૭ દર્શનાદિની ઉત્પત્તિ જલ્દી થતી હોવાથી ક્યારેક ક્રમ દેખાતો નથી કમળના સેંકડો પાંદડાને ભેદવાના ક્રમની જેમ. अयमर्थ:- यथा सूच्यादिना क्रियमाणस्योत्पलशतपत्रस्य भेदक्रमः शीघ्रोत्पन्नत्वान्न ज्ञायते, तथा वचित् करतलादौ दर्शनादीनामपि क्रमो नानुभूयते / ૨૭ છે જેમ સોય આદિ વડે કરાતા કમળના સો પાંદડાને ભેદવાનો ક્રમ શીવ્ર ઉત્પન્ન થતો હોવાથી જણાતો નથી તેમ ક્યારેક કરતલ (હથેળી) આદિમાં દર્શન અવગ્રહ આદિનો પણ ક્રમ અનુભવાતો નથી. ૬૦
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy