________________
કે દર્શન અવગ્રહ ઈહા અપાય અને ધારણા આ પાંચમાં જ્ઞાનમાત્રા હિનાધિક છે. જ્ઞાનમાત્રા હીનાધિક હોવાથી એકબીજામાં ભળી જતાં નથી તેને અસંકીર્ણ સ્વભાવ કહેવાય છે. આવો અસંકીર્ણ સ્વભાવ હોવાના કારણે પાંચે અવસ્થાઓનું સ્વરૂપ પરસ્પર પૃથક્ પૃથર્ હોવાનો અનુભવ થતો હોવાથી તે દર્શનાદિ પરસ્પરભિન્ન છે. ____ असामत्स्येनाप्युत्पद्यमानत्वं मा ५६ असंकीर्णस्वभावतयानुभूयमानत्वात् એ પદનો હેતુ છે. દર્શન વિગેરે ઉત્પત્તિસ્થાનમાં (તેના ક્ષયોપશમવાળી વ્યક્તિમાં) દર્શનાદિ પાંચે પર્યાય ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાય છે. આથી જ કહ્યું છે કે દર્શનાદિ એકી સાથે ઉત્પન્ન થતા નથી ક્યારેક ઉત્પત્તિસ્થાને માત્ર દર્શન થાય (સત્તા જણાય), ક્યારેક દર્શન-અવગ્રહ જણાય, ક્યારેક દર્શન અવગ્રહ સંશય અને ઈહા રૂપે જણાય. એકી સાથે ઉત્પન્ન થતા નથી તેથી ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાય છે, આ હેતુ છે. દર્શન, અવગ્રહ વિગેરે ભિન્ન ભિન્ન છે તે સિદ્ધ કરવા ત્રણ હેતુ દ્વારા ત્રણ અનુમાન પ્રયોગ જણાવે છે
સાધ્ય
एते दर्शनादयः परस्परं व्यतिरिच्यन्ते (१) असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वात् ( २ ) अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशत्वात् (३) क्रमभावित्वात्.
. (१) ये असंकीर्णस्वभावतयाऽनुभूयन्ते ते परस्परं व्यतिरिच्यन्ते, यथा स्तम्भादयः ।(२) ये अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकाः ते परस्परं व्यतिरिच्यन्ते. यथा अनुमानादयः । (३) ये क्रमभाविनो ते परस्परं व्यतिरिच्यन्ते, यथा अङ्कुरकन्दलकाण्डादयः ।
પ્રયોગાર્થ દર્શન આદિ પરસ્પર ભિન્ન છે, તે સાથે ઉત્પન્ન થતા હોવાથી ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાય છે. (આ છએ છ ઉત્પન્ન થાય જ તેવું નથી,
ક્યારેક એક, ક્યારેક બે-ત્રણ-ચાર આદિનું જ્ઞાન થાય છે. દર્શન વિગેરે એક હોત તો છ એ છ ઉત્પન્ન થવા જોઇએ, પરંતુ એવું નથી, તેથી તે જુદો છે થાંભલા વિગેરેની જેમ. દર્શનાદિ સમજવા માટે પૂલ (વ્યવહારિક) દૃષ્ટાન્ત આ પ્રમાણે છે. આ પ્લેનમાં બેસનારને ઝડપથી ગતિ કરતો હોવાથી કંઈક પ્રસાર થયું એવું (વિદિત તિ) દર્શન, પ્લેન કરતાં ટ્રેનમાં જનાર ગતિ થોડી મંદ હોવાથી આ
૫૭.