________________
અવગ્રહ ઉત્પન્ન થાય છે. દર્શનમાં રૂદ્રમ્ ઝિ ' એટલું જ થાય છે. - અવગ્રહમાં કંઇક અધિકબોધ થાય છે. જો કે કર્મગ્રન્થ વિશેષાવશ્યકભાષ્ય તત્વાર્થાદિસૂત્રમાં વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ અવગ્રહના જે બે ભેદો છે તે બંને ભેદોનો “અવગ્રહ' રૂપ એક વિવક્ષીને આ સૂત્રમાં તેનો અર્થ સમજાવ્યો છે તેમાં વિષય-વિષયીનો સન્નિપાત માત્ર છે, તે વ્યંજનાવગ્રહ છે તેનાથી “અસ્તિત્વ' માત્ર રૂપ મહાસામાન્યનો જે પ્રથમ બોધ થાય છે તે એક સમયના કાળવાળો નૈૠયિક અર્થાવગ્રહ છે અને ત્યારબાદ અવાજોર સામાન્યોથી યુક્ત એવો સામાન્યાકાર યુક્ત વસ્તુનો જે બોધ થાય છે તે વ્યવહારિક અર્થાવગ્રહ કહેવાય છે એમ અવગ્રહના સર્વ-વ્યાખ્યાનો આ સૂત્રમાં સમાવેશ પામે છે. '
(૧) વિષય અને વિષયીનો સન્નિપાત વ્યંજનાવગ્રહ (૨) રૂઢિશ્ચિપ્તિ આવું સત્તામાત્રનું જે જ્ઞાન તે નેશ્ચચિફ અથવગ્રહ (૩) મામ્ મનુષ્ય વિગેરે અવારસામાન્યથી યુક્ત છે. જ્ઞાન તે વ્યવહારિક અર્થાવગ્રહ છે.
ઇહાનું સ્વરૂપ જણાવે છે. अवगृहीतार्थविशेषाकाङ्क्षणमीहा ॥ २-८ ॥ અવગ્રહથી જાણેલ પદાર્થને વિશેષ જાણવાની ઇચ્છા તે ઈહા છે.
अवगृहीतार्थस्य-मनुष्यत्वादिसामान्यरूपेण गृहीतस्यार्थस्य विशेषाकाङ्क्षणम्-'अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्येवं रूपमीहापदवाच्यम् ।८।
ટીકાર્યઃ અવગ્રહથી ગ્રહણ કરેલા પદાર્થને મનુષ્યત્વાદિ સામાન્યરૂપ • વડે ગ્રહણ કરેલા પદાર્થની વિશેષ આકાંક્ષા. જેમ આવા આવા ધર્મો વડે કરીને
આ મનુષ્ય કન્યાકુમારીનો હોવો જોઇએ આ પ્રમાણેનું (જે જ્ઞાન તે) ઈહા કહેવાય છે.
વિશેષાર્થ દર્શનોપયોગ રૂપ સત્તાને જાણ્યા બાદ, જ્ઞાનોપયોગ રૂપ અવાન્તર સામાન્ય મનુષ્યવાદિને જાણ્યા બાદ, તે જ જ્ઞાનોપયોગમાં તે મનુષ્ય કેવો છે આવી વિશેષ જાણવાની ઇચ્છા તે ઈહા છે. એક જ ઉપયોગમાં દર્શન અવગ્રહ (સંશય) ઈહા આદિ ભિન્ન ભિન્ન અવસ્થા છે. આ મનુષ્ય લાગે છે એવું જાણ્યા બાદ, આ મનુષ્ય પાટલીપુત્રનો છે કે કાન્યકુબ્બનો? એવો સંશય
પર