SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઃ ઇન્દ્રિયજ્ઞાન અને અનિદ્રિયજ્ઞાન તે બંનેમાં મન કારણ છે એટલે તે સાધારણ કારણ છે પણ ઇન્દ્રિય તો ઇન્દ્રિયજ્ઞાનમાં જ કારણ છે માટે તે અસાધારણકારણ છે. અને જે અસાધારણકારણ હોય તેનો જ કાર્યમાં વ્યપદેશ થાય છે તેથી બન્ને ભેદો યોગ્ય છે. ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે અને બાકીની ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. नैयायिकादयस्तु सर्वेषामिन्द्रियाणां प्राप्यप्रकाशकारित्वमेव वदन्ति । बौद्धास्तु चक्षुःश्रोत्रेन्द्रियवानीन्द्रियाणि प्राप्यप्रकाशकारिणीति मन्यते । मनोऽपि द्रव्य-भावभेदाद् द्विविधम् अप्राप्यप्रकाशकारी चास्तीति। ॥५॥ ટીકાર્ય નૈયાયિક વિગેરે સર્વે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી જ માને છે. અને બૌદ્ધો ચહ્યું અને શ્રોત્રેન્દ્રિય વર્જીને બીજી ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. તથા મન દ્રવ્ય અને ભાવથી (પૂર્વે જણાવ્યા મુજબ) બે પ્રકારે છે અને તે અપ્રાપ્યકારી છે. • વિશેષાર્થ વિષયની સાથે જોડાઈને જે ઇન્દ્રિય બોધ કરે તે પ્રાપ્યકારી અને વિષયથી દૂર રહીને જે ઇન્દ્રિય બોધ કરે તે અપ્રાપ્યકારી સાકરમુખમાં મુકીએ ત્યારે રસેન્દ્રિય સાકર વિગેરે દ્રવ્યોની સાથે જોડાઈને મીઠાસનો બોધ કરે છે માટે તે પ્રાપ્યકારી છે ચક્ષુ રૂપગ્રાહિણી છે. રૂપ દૂર હોતે છતે જ ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે આંખની સાથે જોડાઈને (૩૫)ને ગ્રહણ કરતી નથી માટે તે અપ્રાપ્યકારી છે જેમ સામે રહેલી તલવાર વિગેરે (૧) નયાયિક ચક્ષુરિન્દ્રિયને પણ પ્રાપ્યકારી માને છે જેમ કે તેના કિરણો પદાર્થ સાથે સંયોગ પામીને પદાર્થને જણાવે છે. જેમ કે બેટરીના કિરણો ઘટ વિગેરે પદાર્થ સાથે જોડાય અને પછી ઘટ દેખાય તેમ આંખના તેજના કિરણો પદાર્થ સાથે જોડાય અને પછી આ ઘટવિગેરે છે તેમ દેખાય છે. માટે ચક્ષુ પ્રાપ્યકારી છે. આવી માન્યતાની સામે કોઈ તેને પૂછે કે ચશ્મા સહિત ચહ્યું હોય તો તેજના કિરણો પદાર્થ સાથે કઈ રીતે સંયોગ પામે? તથા સ્વચ્છ પાણીની અંદર માછલા હોય તો તેજના કિરણો પાણી સાથે અથડાય તો આંખ ભીની બનવી જોઇએ અથવા પાણીથી તેજના કિરણોનો ઉપઘાત થવો જોઈએ, પરંતુ આવુ બનતુ નથી. તો તૈયાયિકો આવું સમાધાન આપે છે કે સ્વચ્છ કાચ તેજના કિરણોનો ઘાતક બનતો નથી તેથી કાચમાંથી તેજના કિરણો નીકળીને. ૪૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy