________________
નિવૃત્તિ-ઇન્દ્રિયમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિસ્વરૂપ છે જો આ ઉપકરણદ્રવ્યેન્દ્રિય હણાયેલી હોય તો નિવૃત્તીન્દ્રિય હોવા છતાં પણ વિષયનું ગ્રહણ થતું નથી.
ભાવેન્દ્રિય બે પ્રકારે છે. લબ્ધિ-ભાવેન્દ્રિય (૧) ઉપયોગભાવેન્દ્રિય (૨) તેમાં લબ્ધિભાવેન્દ્રિય એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ, તેનું બીજું નામ છે અર્થગ્રહણશક્તિસ્વરૂપા. તથા અર્થગ્રહણના વ્યાપારરૂપ જે ઇન્દ્રિય તે ઉપયોગેન્દ્રિય છે. ચક્ષુઅપ્રાપ્યકારી છે અને બાકીની બાહ્ય ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે.
ઇન્દ્રિય
(તલવાર ચલાવવાની
- (૧) દ્રવ્યેન્દ્રિય
ભાવેન્દ્રિય નિવૃતીન્દ્રિય (૨) • ઉપકરણેન્દ્રિય (૨) લબ્ધીજિય (૬) ઉપયોગક્રિયા)
(તલવારની ધાર જેવી) (તલવાર ચલાવવાની બાલ્યનિવૃત્તીન્દ્રિય(૩) અત્યંતરનિવૃત્તીન્દ્રિય(૪) કળા સ્વરૂપ) કળાના ઉપયોગરૂપ) (તલવારનીમ્યાન જેવી) (તલવાર જેવી)
વિશેષાર્થ : સાંવ્યવહારિક-આ વ્યવહાર યોગ્ય જ્ઞાનમાં એકમાં ઇન્દ્રિયની મુખ્યતા છે. બીજામાં મનની મુખ્યતા છે. ઇન્દ્રિયમાં-સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય આ પાંચ છે. આ ઇન્દ્રિયો અનુક્રમે સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દ એમ પોતપોતાના વિષયને
ગ્રહણું કરનારી છે આ ઇન્દ્રિય દ્રવ્ય અને ભાવ ભેદે છે તેમાં (૧) દ્રવ્યેન્દ્રિય' દ્રવ્યેન્દ્રિયનામકર્મના ઉદયના નિમિત્તવાળી છે. અને ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય અને વીર્યાન્તરાયના ક્ષયોપશમની અપેક્ષાવાળી છે. દ્રવ્યક્રિયનિવૃત્તિ-ઉપકરણ બે ભેદે છે તે (૨) નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય (૩) બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પાંચ ઇન્દ્રિયોના બહારના અનેક આકારો જે છે તે છે. (૪) તથા મસુરની દાળ કદમ્બપુષ્પાદિ અંદરના આકારરૂપે અત્યંતર દ્રવ્યેન્દ્રિય છે તે બંને પુદ્ગલ સ્વરૂપ છે. જેમ તલવારની મ્યાન તલવારનું રક્ષણ કરે છે તેમ આ બાધેન્દ્રિય અત્યંતરઇન્દ્રિયનું રક્ષણ કરે છે. બાહ્યન્દ્રિયની અંદર રહેલી અંગુલના અસંખ્યાતમા ભાગની બનેલી જે અત્યંતરઇન્દ્રિય તલવાર સમાન છે. (૫) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તે શક્તિરૂપે છે તે તલવારની ધાર જેવી છે. જેમ તલવારની ધાર બુઠી હોય તો છેદનક્રિયા ન થાય તેમ આ ઇન્દ્રિય ન
૪૭