________________
(૪) સાંખ્ય= - પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ પ્રમાણ માને છે.
| * પારસર્ષ (સાંખ્યદર્શનવાળા) (૫) પૂર્વ મીમાંસક - પ્રત્યક્ષ - અનુમાન - ઉપમાન શબ્દ અર્થપત્તિ
પાંચ પ્રમાણ માને છે. (૬) ઉત્તર મીમાંસક- ઉપરનાં પાંચ સાથે અભાવનામનું છઠું પ્રમાણ | (કુમારીલભટ્ટ) માનવાથી કુલ ૬ પ્રમાણ માને છે. (૭) જૈનદર્શની- પ્રત્યક્ષ (સ્પષ્ટ) પરોક્ષ (અસ્પષ્ટ) એમ બે પ્રમાણ
માને છે. ઉપરોક્ત બધા ભેદો વાસ્તવિક રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બેમાં સમાઇ જાય છે. જગતમાં વસ્તુમાત્રની બોધ બે રીતે જોવાય છે. એકમાં વસ્તુનો યથાતથ્ય બોધ પરની અપેક્ષા વિના થાય છે અને તે સ્પષ્ટ છે. જ્યારે બીજામાં વસ્તુનો વાસ્તવિક બોધ પરની અપેક્ષા દ્વારા કરવામાં આવે છે. અને તે અસ્પષ્ટ છે. આ બે સિવાય વસ્તુનો બોધ કોઇ ત્રીજી રીતિએ થતો નથી, માટે તેના બીજા જુદા ભેદો પાડવામાં આવ્યા નથી. બે જ ભેદો પ્રમાણના છે.
प्रत्यक्षं लक्षयन्ति - પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ બતાવે છે. પણું પ્રત્યક્ષમ્ ૨-૨ સ્પષ્ટ જ્ઞાન ને પ્રત્યક્ષ પ્રમાણ છે.
. स्पष्टत्वं प्रत्यक्षस्य लक्षणमित्यर्थः । प्रबलतरज्ञानावरणीयवीर्यान्तराययोः . कर्मणोः क्षयोपशमात्, क्षयाद् वा स्पष्टताविशिष्टं यज्ज्ञानं तत् प्रत्यक्षं ज्ञातव्यम् ને ૨ .
સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષ છે (આ) લક્ષણ છે. જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મના અત્યંત ક્ષયોપશમથી અથવા ક્ષયથી, સ્પષ્ટતાથી યુક્ત એવું જે જ્ઞાન છે તે પ્રત્યક્ષજ્ઞાન છે.
વિશેષાર્થ : જે જ્ઞાન ઇન્દ્રિયની આધીનતાથી સ્પષ્ટપણે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. આ લક્ષણ સાંવ્યવહારિક પ્રત્યક્ષને આશ્રયી ઘટી શકે છે. પરંતુ
૪૩