________________
इत्युच्यते। प्रत्यक्षविषयश्चायमनध्यवसायः । परोक्षविषयस्तु कस्यचिदपरिज्ञातगोजातीयस्य पुंसः वचन वननिकुञ्जे सास्नामात्रावलोकनेन पिण्डमात्रમનુમાર ‘ો નુ ચિત્ર પ્રાપ યાત્?' રૂત્યાદિ ૨૫
જેમાં વિશેષનું સ્પષ્ટપણે ભાન થતું નથી પરંતુ આ કંઇક છે એવા પ્રકારનું અત્યંત સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય છે.
જેમ અન્યવિષયમાં આસક્ત છે ચિત્ત જેનું, એવા રસ્તે જતા પુરુષને તૃણનો સ્પર્શ થાય છે, ત્યારે તે તૃણ આવી જાતિનું છે આવા નામવાળું છે એ પ્રમાણે વિશેષરૂપે નિર્ણય થતો નથી પરંતુ, મારા વડે કંઇપણ સ્પર્ધાયું છે એવા પ્રકારનો સામાન્ય વિચારાત્મક જે બોધ થાય છે તે અનધ્યવસાય કહેવાય છે. પ્રત્યક્ષના વિષયભૂત આ અનધ્યવસાય કહેવાય છે. પરોક્ષનાં વિષયભૂત તો ગાય જેવા પ્રાણીથી તદ્દન અપરિચિત એવો કોઈ પુરુષકોઈ વનના નિકુંજમાં સાસ્ના (ગોદડી) માત્ર જોઈને પિંડમાત્રનું અનુમાન કરીને આ કર્યું પ્રાણી હશે? આવું વિચારે તો પરોક્ષ અનધ્યવસાય છે.
વિશેષાર્થ અનધ્યવસાય વાસ્તવિક રીતે સમારોપ નથી કારણ કે આમાં વિપરીત વિષયનું ભાન થતું નથી પરંતુ સ્પષ્ટ બોધ નથી માટે તેને ઉપચારથી સમારોપ કહેવાય છે કારણ કે સમારોપનું નિમિત્ત યથાર્થ જ્ઞાન ન થવું તે અહીં છે માટે ઉપચારથી સમારોપ છે.
આ સંશય વિપર્યય અને અનધ્યવસાયે ત્રણે જ્ઞાન નથી. કારણ કે તેમનામાં સ્વપરનો નિશ્ચય નથી આમાં જ્ઞાનનું લક્ષણ બરાબર ઘટી શકતું નથી. માટે અપ્રમાણ છે.
આ પ્રમાણે ઉપરના સૂત્રો દ્વારા “વ્યવસાયિ' પદની આવશ્યકતા સિદ્ધ કરી તે પદ ન મૂકાયું હોત તો બૌદ્ધ સંમત નિર્વિકલ્પજ્ઞાન તથા પ્રભાકર સંમત વિપર્યય સંશય અને અનધ્યવસાય વિગેરે પ્રમાણ બની જાત પણ, વ્યવસાયી પદ મુકવાથી તે જ્ઞાન નિશ્ચય વગરનાં છે માટે પ્રમાણભૂત નથી એમ સિદ્ધ થયું.
प्रमाणव्याख्यायाम् दर्शित-परशब्दस्य सार्थकता - પ્રમાણની વ્યાખ્યામાં આવેલ “ર' પદની સાર્થકતા જણાવે છે. જ્ઞાનવિજ્યોર્થ પર: | -૬ .
૩૦