SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રષ્ન તો પછી આવી પ્રતીતિને ભ્રમ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર: જ્ઞાનના વિષય સ્વરૂપ રજતાંશથી શુક્તિનો ચાંદી સ્વરૂપે વ્યવહાર કરવામાં બાધ આવે છે. માટે ચળકાટ સ્વરૂપ રજતાંશને લઈને શુક્તિમાં થયેલું રજતનું જ્ઞાન યથાર્થ હોવા છતાં આવી પ્રતીતિને ભ્રમાત્મક પ્રતીતિ સ્વરૂપે વ્યવહાર કરાય છે. આવો વિશિષ્ટ-દ્વૈતવાદી વેદાન્તીઓનો મત છે. (૬) અચથી ધ્યાતિ અન્યસ્વરૂપે રહેલી વસ્તુને અન્યરૂપે પ્રતીતિ કરવી. તે આ પ્રમાણે-અન્યસ્વરૂપે રહેલા શુક્તિ વિગેરે પદાર્થનું અન્યથા એવા રજતાદિ સ્વરૂપે જાણવું તે વિપરીત અન્યથાખ્યાતિ છે. પ્રશ્ન : “શુવિન્દ્ર તિ' ઇત્યાદિ જ્ઞાનમાં ચાંદી તો છે નહીં અને તેનો ચક્ષુ સાથે સન્નિકર્ષ (જોડાણ) નથી છતાં આ છીપમાં ચાંદી છે. આવું પ્રતિભાસમાન કઈ રીતે થાય? અર્થાત્ એવો બોધ કઈ રીતે થાય? ઉત્તર ઃ દોષના કારણથી, દેશાન્તર અને કાલાન્તરમાં વિદ્યમાન એવી વસ્તુમાં નિકટતાના સ્વરૂપે જે જ્ઞાનનો વિષય બને છે તે માટે તેવા પ્રકારનો બોધ થાય છે તેને વિપરીત ખ્યાતિ સ્વરૂપે કહેવાય છે. - આ વિપરીતખ્યાતિ તૈયાયિક જૈનો (વૈશેષિકો અને કુમારિઆદિ) માને છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળા જિજ્ઞાસુઓ વડે આ ખ્યાતિઓના ખંડન તથા સ્વપક્ષમંડન આદિ પ્રકારોનું જ્ઞાન સ્યાદ્વાદરનાકરગ્રન્થમાંથી જાણી લેવું અહીં તો ગ્રન્થવિસ્તારના ભયથી તેનો વિસ્તાર કરેલો નથી. संशयस्वरूपम् - સંશય સમારોપનું સદૃષ્ટાન્ન સ્વરૂપ જણાવે છે. साधक-बाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शि જ્ઞાન સંશય: / -૨ | संशयस्य दृष्टान्तम् - યથાર્થ સ્થાણુર્વા પુરુષો વા -રૂા સાધક અને બાધક પ્રમાણના અભાવથી અનિશ્ચિત એવા અનેક અંશને(વિકલ્પને સ્પર્શતું જ્ઞાન તે સંશય છે. જેમકે આ ઠુંઠું છે કે પુરૂષ છે? ૨૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy