________________
આ શુદ્ધ પાંચ ભૂતો પહેલા પાંચ સ્વરૂપે નહોતા પરંતુ પછી ઇશ્વરની ઇચ્છા દ્વારા સ્થૂલસ્વરૂપે જીવોના ઉપભોગ માટે કરાયા છે.
પંચીકરણ એ એક પ્રક્રિયા છે પંચદશીગ્રન્થમાં વિદ્યારણ્યસ્વામીવડે કહેવાઇ છે. તે આ પ્રમાણેઃ
શ્લોકાર્થ : બે ભાગ કરીને પહેલામાં ચાર એકેક વિભાગ થાય અને બાકી રહેલો પોતાનો જે ભાગ તે બીજામાં જોડવાથી પાંચ થાય છે. દા.ત. પૃથ્વીનો એક ગોળો છે તેના બે સરખા વિભાગ કરવાનાં એક વિભાગમાં પૃથ્વીપિંડ રહેવા દેવાનો બીજા વિભાગમાં ચાર સરખા વિભાગ કરવાના એમાં એકમાં જલ બીજામાં તેજ, ત્રીજામાં વાયુ, ચોથામાં આકાશ આવી રીતે આખો પિંડ તૈયાર કરવાનો એજ રીતે જલ, તેજ, વાયુ અને આકાશના પિંડ પણ તૈયાર કરવાના. સ્પષ્ટ સમજાય તે માટે ચિત્ર અહિં બતાવાય છે.
==
પૃથ્વી
-
કર્ક
જલ
|9|૨||
તેજ
عہ
||5 |||5|૩
આકાશ
વાયુ
આ રીતે જેમાં અડધો ભાગ પૃથ્વી છે તે પંચીકૃત પૃથ્વી કહેવાય છે. તેવી જ રીતે જેમાં અડધો ભાગ જલ છે છે તે પંચીકૃત જલ કહેવાય છે. જેમાં અડધો ભાગ તેજ છે તે પંચીકૃત તેજ કહેવાય છે. જેમાં અડધો ભાગ વાયુ છે તે પંચીકૃત વાયુ કહેવાય છે, જેમાં અડધો ભાગ આકાશ છે તે પંચીકૃત આકાશ કહેવાય છે. આ રીતે પંચીકરણ પ્રક્રિયા વેદાન્તીઓ માને છે. તેથી દરેક વસ્તુની સત્તા સર્વઠેકાણે વિદ્યમાન છે. માટે પ્રસ્તુત ગ્રંથમાં કહેવાનો ભાવ એમ છે કે પંચીકરણ પ્રક્રિયા વડે શુક્તિમાં રજતાંશ પણ વિદ્યમાન છે. તેથી શુક્તિમાં આ રજત છે એવું જ્ઞાન થાય છે.
પ્રશ્ન : શુક્તિમાં રજતાંશની પ્રતીતિ થાય અને એ સિવાયના પોતાના ઘણા અંશોની પ્રતીતિ ન થાય એવું શી રીતે બને ?
ઉત્તર : આમ થવાનું કારણ અર્દષ્ટ છે. અદૃષ્ટના કારણે શુક્તિમાં ઘણા બધા શુક્તિના અંશો હોવા છતા તેની પ્રતીતિ થતી નથી અને અલ્પ એવા રજતાંશોની પ્રતીતિ થાય છે. આથી શુત્તવિવું રત્નતમ્ આવું જ્ઞાન યથાર્થ છે ત્યાં જ્ઞાનવિષયસ્વરૂપ રજતાંશ વિદ્યમાન છે.
૨૭