________________
ઉત્તર : ‘તદ્દેવ સદાં તસ્ય યત્ તવ્ દ્રવ્યરેશમાક્' આ નિયમથી તથા પંચીકરણની પ્રક્રિયા દ્વારા શુક્તિમાં રજતાંશની વિદ્યમાનતા સિદ્ધ કરી શકાય છે. એટલે કે તવ સદળ – તેનો તે ધર્મ જ તેના સમાન છે કે જે ધર્મ (તે) દ્રવ્યનો એક અંશ છે. એટલે કે કોઇપણ વસ્તુ અન્ય વસ્તુની સાથે ત્યારે સરખાવી શકાય જ્યારે તે વસ્તુનો એક અંશ તેનામાં વિદ્યમાન હોય. દા.ત. ‘આંખડી અંબુજ પાંખડી’પ્રભુની આંખો એટલે જાણે કમળની પાંદડી જ જોઇ લો. અહીં કમળની એક પાંદડીના આકાર જેવી જ પ્રભુની આંખો લાંબી હોય છે માટે કમળની પાંખડી સાથે સરખાવી છે. એટલે કે પ્રભુની આંખોના આકારસ્વરૂપ એક ધર્મ એ કમળની પાંદડીના આકાર સમાન છે કે જે આકાર કમળસ્વરૂપ દ્રવ્યનો એક ભાગ છે. તેવી જ રીતે અહીં છીપમાં રહેલો ચળકાટ તે ચાંદીમાં રહેલ ચળકાટ સમાન છે, કે જે ચળકાટ ચાંદી સ્વરૂપ દ્રવ્યનો એક અંશ છે. આમ ચાંદીના ચળકાટસ્વરૂપ અંશની શુક્તિમાં વિદ્યમાનતા છે જ. पञ्चीकरण प्रक्रिया
'पञ्चकृतेभ्यो भूतेभ्यो स्थूलभूतान्युत्पद्यन्ते' इति तु अत्र वेदान्तः
सिद्धान्तः
पञ्चीकरणरीतिश्च पञ्चदृश्यां विद्यारण्यस्वामिभिरुक्ताः
द्विधा विधाय चैकेकं चतुर्धा प्रथमं पुनः ।
स्वस्वेतर द्वितीयांशे र्योजनात् पञ्चपञ्चते ॥
-
प्रथमम् अपञ्चीकृतान्येव भूतान्यासन् तत ईश्वरेच्छया स्थूलसृष्टिद्वारा जीवानां भोगार्थं परस्परमेलनं रूपं पञ्चीकरण बभूव । [. सांख्य. बो] પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ પાંચ ભૂતો કહેવાય છે. આપણે જે ભૂતો જોઇ રહ્યા છીએ તે શુદ્ધ પાંચ ભૂતો નથી પરંતુ પાંચભૂતમાંથી સ્થૂલભૂતો ઉત્પન્ન થયા છે, એમ વેદાન્તદર્શન માને છે.
વૈદિક દર્શનમાં ‘પાંચતન્માત્રા' નામક એક અતીન્દ્રિય શક્તિશાળી કારણ છે જેમાંથી પાંચ શુદ્ધભૂતોની ઉત્પત્તિ થાય છે જેમકે શબ્દ તન્માત્રથી આકાશનો જન્મ, સ્પર્શતન્માત્રથી વાયુનો જન્મ, રૂપ તન્માત્રથી તેજનો જન્મ, રસ તન્માત્રથી જલનો જન્મ અને ગન્ધતન્માત્રથી પૃથ્વીનો જન્મ થાય છે. તેઓ માને છે. પણ આ શુદ્ધભૂતોનો આપણે ઉપયોગ કરી શકતા નથી.
-આમ
૨૬