SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ આમ સંકેતકાલભાવિશબ્દના સંપર્કને યોગ્ય એવું જે નિર્વિકલ્પજ્ઞાન, અને તેની પછી ઉત્પન્ન થયેલી વાસનાથી પ્રગટ થયેલું એવું વિકલ્પવિજ્ઞાન છે અને તેના વિષયભૂત એવું સંતાન છે. આ વિકલ્પજ્ઞાન જ પૂર્વે જોવા દ્વારા સર્વવસ્તુનો નિશ્ચય કરે છે. જેમ બાળક પણ પૂર્વે જોવા દ્વારા સ્તનનું અવધારણ નિર્ણય કરતું નથી ત્યાં સુધી સ્તનને વિષે મુખને અર્પણ કરતું નથી આવી જ રીતિએ સર્વે પણ લૌકિક (પ્રવૃત્તિ-નિવૃત્તિ-સ્વરૂપ) વ્યવહાર આ વિકલ્પવિજ્ઞાનવડે જ ચાલે છે પરંતુ અનિર્ણયાત્મક એવું નિર્વિકલ્પજ્ઞાન તો ક્ષણિક અને નિરંશરૂપસ્વલક્ષણમાત્રથી ઉત્પન્ન થનારું છે તે તો પ્રથમક્ષણે જ નષ્ટ થયેલું હોવાથી શબ્દના સમ્પર્કને યોગ્ય નથી આથી જ નિર્વિકલ્પજ્ઞાન વ્યવહારપથમાં આવતું નથી એટલે કે વ્યવહારમાં ઉપયોગી થતું નથી. ઉત્તરપક્ષ: બૌદ્ધની આ વાત સત્ય નથી જો નિર્વિકલ્પજ્ઞાન વ્યવહાર માર્ગમાં આવતું જ નથી તો તેને પ્રમાણભૂત કઈ રીતે કહેવાય? (સવિકલ્પજ્ઞાન વ્યવહારકરાવે–શબ્દપ્રયોગ કરાવે છતા તેને પ્રમાણ ન કહેતા નિર્વિકલ્પક જ્ઞાનને તમે પ્રમાણ કેમ માનો છો ?) બૌદ્ધ (પૂર્વપક્ષ) : નિર્વિકલ્પકશાન થયા પછી તરત વાસનાના કારણે વિકલ્પજ્ઞાન થાય છે અને તે વ્યવહારને ઉત્પન્ન કરવામાં સમર્થ છે માટે આવા સવિકલ્પજ્ઞાનથી નિર્વિકલ્પજ્ઞાનની પ્રમાણતા અમે સ્વીકારીએ છીએ. ઉત્તરપક્ષઃ તો પછી સવિકલ્પજ્ઞાનને જ પ્રમાણભૂત ગણવું એમાં જ ડહાપણ છે પૂર્વપક્ષ પણ સવિકલ્પવિજ્ઞાન તો વાસનાના બળથી ઉત્પન્ન થયું છે. વાસ્તવિક નથી માટે તે સ્વયં પ્રમાણભૂત નથી. ઉત્તરપક્ષઃ જો સ્વયં અપ્રમાણિક છે તો સવિકલ્પજ્ઞાન નિર્વિકલ્પજ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય શી રીતે કરાવી શકે? (શું કોઇક ચોરને શાહુકાર ઠરાવે તેટલા માત્રથી તે શાહુકાર થઈ જાય? અને તે ચોરના વચનમાં વિશ્વાસ કોણ કરે ?) આ બાબતમાં ઘણું કહી શકાય તેમ છે આ તો માત્ર ઇશારો જ કર્યો છે. ટૂંકમાં પ્રમાણભૂત જ્ઞાનને નિશ્ચયકરવાના સ્વભાવવાળું માનવું તે ઉચિત છે એટલે કે જે જ્ઞાન નિશ્ચય કરવાના સ્વભાવવાળું છે તે જ્ઞાન પ્રમાણભૂત છે નહીં કે નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણભૂત છે. 1. ૨૦
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy