SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ सविकल्पं विज्ञानं स्वयमप्रमाणभूतम्, तथा सति कथं तद् निर्विकल्पस्य प्रामाण्यव्यवस्थापकं भवेदिति यत्किञ्चिदेतत् । तस्मात् प्रमाणभूतं ज्ञानं व्यवसाय-स्वभावमेवाभ्युपगन्तव्यं न निर्विकल्पमितिः भावः ॥ ७ ॥ જ્યારે ગ્રન્થકારશ્રીએ પ્રમાણભૂત જ્ઞાન જ નિશ્ચયાત્મક છે એવું સિદ્ધ કર્યું ત્યારે બૌદ્ધ નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણભૂત માને છે અને તેમાંથી ઉત્પન્ન થતું સવિકલ્પક તેને નિશ્ચયાત્મક અને અપ્રમાણભૂત માને છે. તેમની આ પ્રમાણેની માન્યતા તથા એનું ખંડન નીચે પ્રમાણે છે. પૂર્વપક્ષી બૌદ્ધ- સર્વ વસ્તુના સમૂહ ક્ષણિક છે. તે ક્ષણિક પદાર્થ ઉપર પ્રથમ ઇન્દ્રિયોનો સંયોગ થયો, ત્યારપછી તરત જ નામ જાતિ ગુણ ક્રિયા વિગેરેની કલ્પનાથી રહિત નિર્વિકલ્પ (પ્રત્યક્ષ) જ્ઞાન ઉત્પન્ન થાય છે (ઘટનું પ્રત્યક્ષ થયા પછી મયં પટ: મયં ઇટ: એ રીતે પ્રત્યક્ષજ્ઞાનને અનુરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય તો તે નિર્વિકલ્પક જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ છે અને જો જ્ઞાન થયા પછી તદનુરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય નહીં તો તે પ્રમાણ નથી) તત્તર વાસનાત્યાર પછી વાસનાના બળથી પ્રગટ થતું વિકલ્પવિજ્ઞાન= આવા આકારવાળી વસ્તુમાં તે સંકેત સમયે ઘંટ કે પટનો સંકેત કર્યો હતો આ પણ એવા જ માકારવાળી વસ્તુ છે, આમ સંકેત સમયે જોયેલી વસ્તુને સંદેશ આ વસ્તુ છે, તે સ્વરૂપે વસ્તુને ગ્રહણ કરે છે, સંકેત સમયે આવી વસ્તુને ઘટ કે પટ શબ્દથી ઓળખી હતી, માટે આ પણ ઘટ અથવા પટ છે એમ સામે પડેલી વસ્તુને શબ્દથી ઓળખે છે. આને સંતત્રિદBત્વે સંતત્રિમાવિનંદ્રિ કહેવાય અથવા તો જેમ કે દેવદત્ત મિત્ર સાથે બજારમાં ગયો તેને ક્યારેય કેરીને જોયેલી નથી તેણે મિત્રને પૂછ્યું કે- આ શું છે? તો મિત્રે કેરીનું જ્ઞાન કરાવ્યું તે જ્ઞાન બૌદ્ધના મતે ક્ષણિક (નિર્વિકલ્પ) હોવાથી નષ્ટ થઈ ગયું પરંતુ તે જ્ઞાનની વાસના પછીની ક્ષણોમાં ચાલે છે હવે ફરી જ્યારે દેવદત બજારમાં જાય છે, ત્યારે તે દિવસે મિત્રે કરાવેલ કેરીનું જ્ઞાન તેની વાસનાના બળથી કોઈના કહ્યા વગર જ થઈ ગયું તે પ્રથમવાર મિત્રે કરાવેલ કેરીનો સંકેત બીજીવખતે ઉપસ્થિત થયો તેનું નામ “સંતદષ્ટવં' મિત્રે પહેલીવખતે જ કેરી શબ્દથી ઓળખાણ કરાવી તે “સંતાનમાવિનશબ્દ' કહેવાય આ સંકેતકાળે કહેલો શબ્દ બીજીવખતે કેરી જોતા જ સ્વયં જ રૂમ સહરત્નમ્ એ પ્રમાણેના શબ્દને ત્યાં જોડે છે. ૧૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy