SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા નામના દ્રવ્યનું પ્રત્યક્ષ કરવામાં યોગીઓને તો વળી આત્મા અને મનનો બે જ સન્નિકર્ષ થાય છે. અનુમાન ઉપમાન વિગેરે પ્રત્યે આત્મા અને મનનો એમ બેનો સન્નિકર્ષ થાય છે. આવી માન્યતા નૈયાયિક ધરાવે છે. તેઓની ઉપરમુજબની માન્યતા યોગ્ય નથી તે અનુમાન દ્વારા હવે પછીના સૂત્રમાં જણાવે છે. साम्प्रतमस्य हेतोरसिद्धतापरिहारार्थं सूत्रद्वयमाह - न खल्वस्य स्वनिर्णीतौ करणत्वं स्तम्भादेरिवाचेतनत्वात् ॥१-५॥ नाप्यर्थनिश्चितौ स्वनिश्चितावकरणस्य . કુમારિવ તત્રાણરત્વત્િ ?-દ્દા : આ સન્નિકર્ષનું પોતાના નિર્ણયમાં કરણપણું નથી કારણ કે થાંભલા વિગેરેની જેમ અચેતન હોવાથી (અચેતન છે). તેમજ અર્થના (પદાર્થના) નિશ્ચયમાં પણ કરણ નથી કારણ કે જે પોતાના નિશ્ચયમાં કુંભ વિગેરેની જેમ અકરણ હોય છે તે પરમાં પણ અકરણ હોય છે. અહીં પહેલા સૂત્રમાં અચેતન હેતુથી સ્વનિશ્ચયનો અભાવ સિદ્ધ કર્યો છે તથા બીજા સૂત્રમાં સ્વનિશ્ચયના અભાવરૂપ હેતુથી અર્થનિર્ણયનો પણ અભાવ છે એમ સિદ્ધ કર્યું છે તે બંને અનુમાન પ્રયોગો આ પ્રમાણે છે - प्रयोगौ तु- सन्निकर्षादिः स्वनिश्चितौ करणं न भवति, अचेतनत्वात्। योऽचेतनः स स्वनिर्णीतौ करणं न भवति, यथा स्तम्भः, अचेतनश्च सन्निकर्षादिः तस्मात् स्वनिश्चितौ करणं न भवति ॥५॥ तथा सन्निकर्षादिरर्थनिश्चितौ करणं न भवति, . स्वनिश्चितावकरणत्वात्, य एवं स एवं यथा स्तम्भादिरिति ॥६॥ સાધ્ય હેતુ (१) सन्निकर्षादिः स्वनिश्चितौ करणं न भवति अचेतनत्वात् सन्निध्य વિગેરે સ્વનિશ્ચયમાં કરણ થતા નથી, અચેતન હોવાથી. (પક્ષ હેતુ) જે અચેતન હોય છે તે પોતાનો નિર્ણય કરતા નથી. જેમકે સ્તંભ વિગેરે (દાંત) સત્રિક અચેતન છે. (ઉપનય) તેથી પોતાનો નિશ્ચય કરતા નથી (નિગમન).
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy