________________
અજ્ઞાનસ્વરૂપ સન્નિકર્ષનું પ્રમાણપણું ઘટતું નથી. (વ્યાજબી નથી) કારણ તે સન્નિકર્ષો અજ્ઞાનસ્વરૂપ ઘટાદિ પદાર્થોની જેમ પોતાના અને પરના નિશ્ચયમાં સમર્થ નથી [તે સાધકતમ ન હોવાથી સન્નિકર્ષો પ્રમાણ તરીકે ઘટતા નથી.]
ત્રીજા સૂત્રમાં જણાવ્યા મુજબ પ્રમાણ જ્ઞાનસ્વરૂપ જ છે એમ સિદ્ધ કરવા છતાં નૈયાયિકો કહે છે કે કોઇપણ વસ્તુના પ્રત્યક્ષજ્ઞાન માટે સન્નિકર્ષ એ જ પ્રમાણ છે. અને સન્નિકર્ષ અજ્ઞાનસ્વરૂપ છે માટે તેમની તે દલિલને રદ કરવા અનુમાન પ્રમાણથી પક્ષવિગેરે પંચાવયવી વાક્યપ્રયોગ દ્વારા સન્નિકર્ષ તે પ્રમાણ નથી એમ આ સૂત્રમાં જણાવે છે.
अज्ञानस्य - जडस्वरूपस्य, सन्निकर्षादेः - इन्द्रियार्थसम्बन्धादेः प्रामाण्यं नोपपद्यते, तस्य- सन्निकर्षादेः अर्थान्तरस्येव घटादेरिव, स्वार्थव्यवसितौस्वार्थनिश्चितौ, साधकतमत्वानुपपतेः । अयमर्थः- यथा घटो जडत्वात् स्वनिश्चये अर्थनिश्चये च साधकतमो न भवति तथैव इन्द्रियविषयसम्बन्धरूपः सन्निकर्षोऽपि स्वनिश्चये अर्थनिश्चये च करणं न भवितुमर्हति जडत्वादेव । प्रयोगश्च- सन्निकर्षादिर्न प्रमाणम् स्वार्थव्यवसितावसाधकतमत्वात्, यत् स्वार्थव्यवसितावसाधकतमं तन्न प्रमाणम् यथा घटः, स्वार्थव्यवसितावसाधकतमश्च सन्निकर्षादिस्तस्मान्न प्रमाणम् ।
જડાત્મક (અજ્ઞાનસ્વરૂપ એવા) ઇન્દ્રિય અને પદાર્થના સંબંધરૂપ સન્નિકર્ષી વિગેરેની પ્રમાણતા ઘટી શકતી નથી કારણ કે તસ્ય- - તે સન્નિકર્ષાદિ અર્થાન્તરત્યેવ- ઘટાદિ વસ્તુની જેમ પોતાના અને પરના નિર્ણયમાં સાધકતમ નથી[સ્વપરનો નિશ્ચય કરવા સ્વરૂપ કાર્યમાં અત્યંત ઉપકારી-અસાધરણ કારણ નથી] તેનો તાત્પયાર્થ આ પ્રમાણે છે કે- જેમ ઘડો જડ સ્વરૂપ હોવાથી પોતાનો કે પરનો નિશ્ચય કરવામાં સાધકતમ નથી તેની જેમજ ઇન્દ્રિય અને પદાર્થના સંબંધ સ્વરૂપ સજ્ઞિકર્ષ પણ જડ હોવાથી પોતાના નિશ્ચયમાં કે પરના નિશ્ચયમાં સાધકતમ કારણ નથી. તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. નિર્ધાતિનુંપ્રમાળમ્ સ્વાર્થવ્યવસિતાવસાધતમત્વાત્= પોતાના અને પરના નેર્ણયમાં અસાધકતમ હોવાથી સન્નિકર્ષાદિ પ્રમાણ નથી. [પક્ષ-હેતુ વાક્ય] ત્ સ્વાર્થવ્યવસિતાવસાધતમ્ તંત્ર પ્રમાણમ્ યથા ઘટ: જે સ્વપર નિર્ણયમાં
૧૩