SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન વિગેરે અપ્રમાણમાં પ્રમાણનું લક્ષણ જતું નથી માટે અતિવ્યાતિ દૂષણવાળું નથી લક્ષ્યમાત્રમાં લક્ષણ વિદ્યમાન હોવાથી અસંભવ દોષ પણ નહીં લાગે. . ज्ञानं प्रमाणमित्युक्ते संशयादावतिव्याप्तिः स्याद् अतःस्वपरव्यवसायीति पदम्, नैयायिकाभिमतस्य जडस्वरुपस्य सन्निकर्षादेः, स्वसमयप्रसिद्धस्य सन्मात्रविषयस्य दर्शनस्य च प्रामाण्यनिराकरणार्थं ज्ञानमिति पदम्, बौद्धः परिकल्पितस्य निर्विकल्पस्य प्रामाण्यव्यवच्छेदार्थं व्यवसायीति पदम्, ज्ञानाद्वैतवादिनां मतमत्यसितुं परेति, नित्यपरोक्षज्ञानवादिनां मीमांसकानाम्, एकात्मसमवायिज्ञानान्तरप्रत्यक्षवादिनां नैयायिकानाम्, अचेतनज्ञानवादिनां सांख्यानां च मतं निराकर्तुं स्वेति। समग्रलक्षणं तु "अर्थोपलब्धिः प्रमाणम्' इत्यादीनां परपरिकल्पितानां लक्षणानां व्यवच्छेदार्थमिति दिक् ॥ २॥ પરવ્યવસાયિજ્ઞાનું પ્રમાઈએ લક્ષણના દરેક પદોની સાર્થકતા જણાવે છે. (૧) આ લક્ષણમાં સાનં પ્રમામ્ આવું લક્ષણ કરે તો સંશય વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે કારણ કે સંશય વિપર્યય અને અનધ્યવસાય આ ત્રણ અયથાર્થ જ્ઞાનના જ ભેદ છે તેથી તેમાં જ્ઞાનપણું હોવાથી અતિવ્યાપ્તિ આવે તેનું નિવારણ કરવા માટે વપ૨વ્યવસાય પદ જરૂરી છે. એટલે કે સ્વપરનો નિશ્ચયાત્મક બોધ કરાવે તે જ્ઞાન પ્રમાણ છે. સંશય વિગેરેમાં તો યથા થાપુaf પુરુ પો વા આમ સંશય હોવાથી સ્વપરનો નિશ્ચય કઈ રીતે થાય? આમ સંશયાત્મક-જ્ઞાનમાં નિશ્ચયાત્મક બોધનો અભાવ હોવાથી લક્ષણ તેમાં નહીં જાય તેથી અતિવ્યાતિ નહીં આવે... (૨) “સ્વપ૨વ્યવસાય પ્રમાણમ્'' આવું લક્ષણ કરીએ તો તૈયાયિકે માનેલા જડસ્વરૂપ એવા સન્નિકર્ષ વિગેરે તથા પોતાના એટલે કે જૈનદર્શનમાં પ્રસિદ્ધ, સત્તામાત્રના વિષયને જણાવનારું દર્શન પણ સ્વ અને પરનો બોધ - કરાવનાર છે માટે એને પણ પ્રમાણ માનવાનો પ્રસંગ આવે પરંતુ અહીં તો આવા સામાન્ય બોધનું પ્રયોજન નથી કેમ કે તેનાથી હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી તેથી સજ્ઞિકર્ષ તથા દર્શનમાં અતિવ્યાપ્તિના વારણ માટે જ્ઞાનપદની પણ આવશ્યકતા છે. નૈયાયિકો ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ=સમ્પર્ક તે પ્રમાણ છે આવું માને છે તે બરાબર નથી કારણ કે અજાણ્યા ફલનો થાળ હોય અને ચક્ષુરિન્દ્રિયનો
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy