________________
છે તે, [ક્યાં દેખાય છે એવું પૂછે કોઇ તો) વૃદ્ધી પ્રતિમામાનં- એમની બુદ્ધિમાં - આખું શાસ્ત્ર પ્રતિભાશમાન થયેલું છે.
પ્રશ્ન : બુદ્ધિમાં સઘળુએ શાસ્ત્ર જણાઈ ગયું છે તો “૩૫%યતે" આરંભ કરાય છે એવું શા માટે કહ્યું?
ઉત્તર: હદયગત અંતરમાં] શાસ્ત્ર રચાઇ ગયું છે પરંતુ શબ્દરૂપે શાસ્ત્રની રચના કરાય છે શબ્દરૂપ બહિર શાસ્ત્ર પ્રગટ કરવું તેજ આ ગ્રંથનું પ્રયોજન છે.
પ્રયોજન વિના બાળજીવો પણ પ્રવૃત્તિ કરતા નથી” એ જ ન્યાયને અનુસરીને પ્રયોજન વિના બુદ્ધિમાનને પ્રવૃત્તિ પ્રાપ્ત થતી નથી અર્થાત્ સજ્જનોની પ્રવૃત્તિ તો પ્રયોજન-વાળી જ હોય છે. પ્રયોજન વિના બાળજીવો પણ પ્રવૃત્તિ કરતા નથી તો બુદ્ધિમાન ક્યાંથી કરે? આથી પ્રયોજન બતાવવા માટે પ્રમાનિતત્ત્વવ્યવસ્થાપનાર્થ આ આદિવાક્ય શાસ્ત્રની (ગ્રન્થની) શરૂઆતમાં રજુ કર્યું છે.
પ્રમાણ અને નયનું સ્વરૂપ અભિધેય-વાચ્ય છે અને આ શાસ્ત્ર વાચક છે આ બંનેનો સંબંધ સાક્ષાત્ ન કહેવા છતાં સામર્થ્યથી જણાઈ આવે છે.
પ્રયોજન બે પ્રકારે છે. (૧) કૌંસંબંધી (૨) શ્રોતાસંબંધી. . (૧) પ્રમાણનયના સ્વરૂપનો નિશ્ચય શ્રોતાને કરાવવો તે કર્તાનું પ્રયોજન
(૨) પ્રમાણનયના સ્વરૂપનો નિશ્ચય કરવો તે શ્રોતાનું પ્રયોજન છે.
પૂર્વપક્ષ: અહીં બૌદ્ધો કહે છે કે આદિવાક્ય છે તે પ્રયોજન કહેવાને માટે સમર્થ નથી પરંતુ પ્રયોજનવિષયક સંશયોની ઉપસ્થિતિ કરવી તેમાં આદિવાક્યની સફળતા છે આવી તેઓની માન્યતા છે તેની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે,
ઉત્તરપક્ષ તમારું કહેવું બરાબર નથી કેમ કે આદિવાક્ય વિના શાસ્ત્રને જોવા માત્રથી જ આ શાસ્ત્ર પ્રયોજન સહિત છે કે પ્રયોજનરહિત છે. તથા પ્રયોજનના ભાવરૂપ છે કે અભાવરૂપ છે તેમ સંશય પ્રગટ થઈ જ જાય છે. [અન્ય શાસ્ત્રના સાધર્મને લઈને પણ તેવો સંશય પ્રગટ થઈ જાય છે] તેથી તે સંશયને માટે આદિવાક્ય આવશ્યક નથી પરંતુ પ્રયોજનના પ્રતિપાદન માટે જ આ આદિવાક્ય છે માટે આ શાસ્ત્ર પ્રયોજન સહિત છે એમ માનવું જોઈએ.