SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આગમપ્રમાણથી જણાયેલ પદાર્થના એકધર્મનો બોધ જેનાવડે થાય તે નય કહેવાય છે. પ્રમાઝ નથતિ-vમન [એ પ્રમાણે દ્વન્દ સમાસ છે.] પ્રશ્ન : વ્યાકરણમાં એવો નિયમ છે કે અલ્પસ્વરવાળો શબ્દ જસમાસમાં પૂર્વનિપાત થાય અને ઘણા સ્વરવાળો શબ્દ પછી મૂકાય તો અહીં જસમાસમાં નય શબ્દ અલ્પસ્વરવાળો હોવા છતાં ઘણા સ્વરવાળા પ્રમાણ શબ્દની પછી કેમ મૂકાયો? 1 ઉત્તર પ્રHIT પદ ઘણા સ્વરવાળુ હોવા છતાં તેનો પૂર્વનિપાત પૂજ્યવાચી હોવાથી કરવામાં આવ્યો છે કેમકે પ્રમાણવસ્તુનો વાસ્તવિક બોધ કરાવે છે જ્યારે નય વસ્તુનો એકાંશથી બોધ કરાવે છે માટે પ્રમાણ સર્વાગી બોધકારક હોવાથી પૂજયવાચી છે માટે પૂર્વે મૂકાયો છે. * પ્રમાણ અને નયનું તત્ત્વ એટલે સ્વરૂપ, પ્રમાનિતત્ત્વસ્થ વ્યવસ્થાપનંપ્રમાણ અને નયના સ્વરૂપનું વ્યવસ્થાપન તેજ છે પ્રયોજન જેનું તે માનયતત્વવ્યિવસ્થાપનાર્થ' પ્રમાણ અને નયના સ્વરૂપના નિર્ણયમાટે, “HIVનયતત્ત્વવ્યવસ્થાપનાથ'' આ પ્રથમપદ “૩પ '' ક્રિયાપદનું વિશેષણ છે પરંતુ “રૂ૫'' આ શબ્દથી નિર્દેશ કરાયેલ શાસ્ત્રનું SUVIનયતત્ત્વવ્યવસ્થાપનાર્થ” એ પદ વિશેષણ નથી, કારણ કે આચાર્ય મહારાજશ્રી આ શાસ્ત્રવડે પ્રમાણ અને નયોના સ્વરૂપની વ્યવસ્થા કરે છે. આમાં આચાર્ય ભગવંત કર્તા છે. શાસ્ત્ર એ કરણ છે તત્ત્વ એ કર્મ છે. વ્યવસ્થા કરાવવી તે ક્રિયા છે. તાત્યયાર્થ આ પ્રમાણે છે શાસ્ત્ર તત્ત્વોનો નિર્ણય કરતું નથી પરંતુ શાસ્ત્રો-દ્વારા તત્વવિદ્ પુરુષો તત્ત્વનો નિર્ણય કરે છે. માટે શાસ્ત્ર એ કરણ છે. અને આચાર્ય ભગવંત કર્યા છે. શાસ્ત્રમાં કર્તાપણાનો માત્ર ઉપચાર છે માટે પ્રમાનિયતિત્ત્વવ્યવસ્થાપનાર્થમ્ એ ક્રિયા-વિશેષણ જાણવું. શાસ્ત્ર બે પ્રકારે છે. (૧) અર્થસ્વરૂપ= અંતઃશાસ્તં- અર્થબોધ ઉચ્ચારણ કરાતો નથી, તેનું ભાન હૃદયગત હોય છે, માટે તે અંતરશાસ્ત્ર કહેવાય છે. (૨) શબ્દસ્વરૂપ- વદિઃ શાä- પ્રથમ શબ્દ બોલાય, પછી અર્થ- બોધ થાય માટે, શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારા શાસ્ત્રનું કારણ છે જે તે વક્તાના શબ્દસ્વરૂપ બહિર્શાસ્ત્ર કહેવાય છે. શાસ્ત્રકાર ભગવંતને આ આખું ય શાસ્ત્ર સ્વસંવેદનથી અંતરમાં અર્થસ્વરૂપે પ્રત્યક્ષ સ્થૂરાયમાન છે તેથી “મ' એટલે આ દેખાય
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy