________________
છે એટલે કે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જ કથન કરનારા છે માટે વાણીના સ્વામી કહેવાય છે. આ ઉપરોક્ત જણાવેલ ચાર વિશેષણો દ્વારા અરિહંત પરમાત્માના ચાર મૂલ-અતિશયોનું પ્રતિપાદન કરેલું છે તે આ પ્રમાણે
વિનેતા પદ દ્વારા અપાયાપગમાતિશય, વિશ્વવસ્તુનઃ જ્ઞાતિારં પદદ્વારા જ્ઞાનાતિશય, શશ્નપૂર્વ પદદ્વારા પૂજાતિશય, પિરામીશ પદધારા-વચનાતિશય.
ન્યાયની ભાષામાં “નનું' અને “મથ'' શબ્દથી પૂર્વપક્ષ શરૂ થાય છે. અને “કૃતિ '' શબ્દો દ્વારા પૂર્ણ થાય છે. ક્યારેક પ્રારંભમાં આવા શબ્દોલ્લેખ વિના જ પૂર્વપક્ષ શરૂ થાય છે. અને “રૂતિ વેત'' દ્વારા પૂરો થાય છે. ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “નન - મથ' શબ્દથી થાય છે અંતે “વેત'' શબ્દ નથી હોતો માત્ર “રૂતિ" શબ્દ જ હોય છે. અહીં પણ ગ્રંથકારશ્રી નનું ઈત્યાદિ ગ્રંથદ્વારા પૂર્વપક્ષ સંબંધી શંકાનું ઉદ્ધાવન કરી પ્રશ્ન રજુ કરે છે. .. ननु निर्विनग्रन्थसमाप्तिं प्रति मङ्गलस्य कथं कारणत्वम् ? विनापि मङ्गलं किरणावल्यादौ ग्रन्थपरिसमाप्तिदर्शनाद् व्यतिरेकव्यभिचारस्य, कादम्बर्यादौ कृतेऽपि मङ्गले समाप्त्यभावादन्वयव्यभिचारस्य च विद्यमानत्वात्, तस्मादनारम्भणीयं मङ्गलमिति चेत्, न, किरणावल्यादौ ग्रन्थाद् बहिरेव मङ्गलस्य कृतत्वाद् विनात्यन्ताभावाद्वा ग्रन्थसमाप्तिसम्भवात्, कादम्बर्यादौ तु कृतेऽपि मङ्गले विजबाहुल्याद् विघ्नानुरुपस्य मङ्गलस्याभावाद् वा समाप्त्यभावानान्वयव्यतिरेकव्यभिचारः, तस्मान्मङ्गलनिर्विनग्रन्थसमाप्त्योः कार्यकारणभावे न काऽपि क्षतिरिति दिक् ।
પ્રષ્ન નિર્વિન ગ્રન્થની સમાપ્તિપ્રત્યે મંગલ કારણ કેવી રીતે બને ? કારણ કે મંગલ વિના પણ કિરણાવલી આદિમાં ગ્રન્થની સમાપ્તિ દેખાતી હોવાથી એટલે કે કારણ વિના કાર્ય થવાથી= સર્વે ઉત્સર્વ વ્યતિરેક વ્યભિચાર આવ્યો તથા કાદંબરી આદિમાં મંગલ કરાયે છતે સમાપ્તિનો અભાવ હોવાથી એટલે કે કારણ હોવા છતાં કાર્યનો અભાવ હોવાથી-યત્વે
સર્વ અન્વયવ્યભિચાર વિદ્યમાન છે (તેથી) સમાપ્તિ માટે મંગલનો આરંભ કરવો તે યોગ્ય નથી.
ઉત્તર : “' તિ, જો તમે એમ કહેતા હોતો ન કહેવું કારણ કે કિરણાવલી વિગેરે ગ્રન્થમાં પ્રારંભમાં ભલે મંગલ નથી દેખાતું છતાં ત્યાં .