________________
ટીકાઈ- પૂર્વસૂત્રમાં કહ્યા પ્રમાણે કેવલજ્ઞાનનું સાક્ષાત્ ફળ તો અજ્ઞાનનિવૃત્તિ છે પરંતુ પરંપરાએ (વ્યવધાનવાળુ) ફળ ઉદાસીનતા છે એટલે કે સર્વે પદાર્થોની ઉપર ઉપેક્ષા કરવી. કેવલી ભગવંતોએ ત્યાગ કરવા લાયકને તજેલા હોવાથી અને ગ્રહણ યોગ્યને ગ્રહણ કરેલા હોવાથી, તેમજ પ્રયોજન સિદ્ધ થયેલું હોવાથી ઉપેક્ષા જ હોય છે તેથી આ પ્રમાણે સર્વે પદાર્થો પ્રત્યે નિર્મમત્વ ભાવ એ જ પરંપરાએ ફળ છે.
વિશેષાર્થ-પૂર્વ સૂત્રમાં કહ્યા પ્રમાણે અજ્ઞાનનિવૃત્તિ સ્વરૂપ ફળ સર્વજ્ઞાનોનું અનંતર ફળ છે. હવે પરંપરાફળમાં પ્રત્યક્ષજ્ઞાનસબંધી કેવલજ્ઞાનનું ફળ ઉદાસીનતા છે
ઉદાસીનતા-કોઇપણ પ્રિયવસ્તુમાં રાગ નહિ અને અપ્રિય વસ્તુમાં દ્વેષ નહીં એટલે કે અનુકૂળતા આવે તો રાગ નથી પ્રતિકૂળતા આવે તો દૈષ પણ નથી સર્વે પદાર્થો ઉપર માત્ર ઉપેક્ષાભાવ છે. આત્માના અશુદ્ધ સ્વરૂપાત્મક જેટલા ભાવો છોડવા યોગ્ય હતા તેનો ત્યાગ કરેલો છે શુદ્ધ સત્તામાં છે. તેથી સર્વે પદાર્થોમાં ઉપેક્ષાભાવ છે તેમને જે કાર્ય સાધવું હતું તે સધાઇ ગયું છે હવે કેવલજ્ઞાની ભગવંતને આદરવા યોગ્ય કે તજવા યોગ્ય જેવું કઈ રહ્યું નથી છઠ્ઠા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધી ઘણી જ સાધના કરી હવે તેરમા ગુણઠાણે કંઈ સાધવાનું રહ્યું જ નથી, માટે પ્રયોજન સિદ્ધ થઈ ગહ્યું છે. તેથી ઉપેક્ષા એજ પરંપર ફળ છે.
अथ केवलव्यतिरिक्तप्रमाणानां परम्पराफलं प्रकटयन्तिशेषप्रमाणानां पुनरुपादानहानोपेक्षाबुद्धयः ॥६-५ ॥ બાકી રહેલા પ્રમાણોનું ઉપાદાનબુદ્ધિ હાનબુદ્ધિ અને ઉપેક્ષાબુદ્ધિ ફળ છે.
केवलज्ञानव्यतिरिक्तानां प्रत्यक्ष-परोक्षलक्षणप्रमाणानां उपादेये कुङ्कुमचन्दनादौ उपादानबुद्धिः-ग्रहणबुद्धिः, हेये विषाङ्गारादौ हानबुद्धिः- त्यागबुद्धिः, उपेक्षणीये, तृणलोष्ठादौ उपेक्षाबुद्धिः पारंपर्येण फलमित्यर्थः ॥ ५॥
ટીકાર્ય-કેવલજ્ઞાનથી ભિન્ન એવા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણોનું પરંપરા એ ફળ ઉપાદેય એવા કંકંમ ચંદન આદિમાં ઉપાદાનઃગ્રહણ કરવા યોગ્ય - બુદ્ધિ થાય છે તે. અને હેય એવા ઝેર અંગારા વિગેરેમાં હાનબુદ્ધિ એટલે કે
૨૦૫