________________
(ગચ્છમત પ્ર.) ૧૩. શ્રી જયમંગલ (વૃત્ત રત્નાકરટીકા) ૧૪. શ્રી રામચન્દ્ર (IPigraphia) વિશેષ માટે મુનિ હિમાંશુ વિજયની પ્રસ્તાવના જોવી.
જૈન ગૂર્જર કવિરેચા (બીજી આવૃત્તિ ભા. ૯ પૃ. ૯૯) માં આ શ્રી વાદિદેવસૂરિજીના હસ્તે આચાર્યપદ પામનાર ૨૪ મુનિઓના નામ આ પ્રમાણે આપ્યા છે.–
પદ્મપ્રભ, મહેન્દ્ર (આવશ્યક સપ્તતિ ટીકાના કાર્તા), રતપ્રભ (રત્નાવતારિકા ટીકને ઉપદેશમાણા ટીકાના કર્તા), મનોરમ, ભદ્રેશ્વર, માનતુંગ, શાંતિ, વર્ધમાન, ચન્દ્રપ્રભ, જયપ્રભ, પૂર્ણભદ્ર, પરમાનંદ, દેવેન્દ્ર, પૂર્ણદેવ, યશોભદ્ર, વજન, પ્રસન્નચન્દ્ર, કુમુદ, પધદેવ, માનદેવ પણ, હરિષણ અને સોમ (વૃત્તરનાકર ટીકાના કર્તા.)
દિગંબરો ઉપરનો વિજય એ શક્રવર્તી પ્રસંગ હતો. આ પ્રસંગને અનુલક્ષીને કવિ યશચન્દ્ર “મુદ્રિત કુમુદચંદ્ર નાટક રચ્યું છે. (યશ વિ. ગ્રંથમાળમાંથી પ્રકાશિત)
આ વિજય વિષે કાલિકાલસર્વજ્ઞ આ ભ. શ્રી હેમચન્દ્રસૂરિ મ. કે જેઓ આ ચર્ચામાં આ. દેવસૂરિ મ.ના સહાયક હતા - તેઓશ્રી લખે છે કે
यदि नाम कुमुदचन्द्रं नाजेष्याद् देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत् कतमो श्वेताम्बरो जगति? ॥
જો સૂર્ય જેવા તેજસ્વી આ દેવસૂરિજીએ કુમુદચન્દ્રને ન જિત્યો હોત તો આજે જગતમાં ક્યો શ્વેતાંબર સાધુ ચોલપટ્ટો પહેરતો હોત?
આ. પ્રદ્યુમ્નસૂરિ (રાજગચ્છ) લખે છે કે- , वस्त्र प्रतिष्ठाचार्याय नमः श्री देवसूरये । યપ્રસામિવામાતિ સુavશ્રેષ સાધવ: II (સમરાદિત્ય સંક્ષેપ)
સ્વામિ શાતા છે ? પ્રશ્નના ઉત્તરમાં સાધુઓ દેવ-ગુરુ પસાય જેમની કૃપાથી કહી શકે છે તે વસ્ત્ર-પ્રતિષ્ઠાપક આ. દેવસૂરિજીને નમન.
દિગંબરાચાર્ય કુમુદચન્દ્રનો વાદમાં ઘોર પરાજય થયો. પણ પરાજયને સમભાવે સહી લેવાની કે સ્વીકારી લેવાની ક્ષમતા ન હતી.
આ. દેવસૂરિજીએ પરાજિતનો પણ તિરસ્કાર ન કરવા સિદ્ધારાજને સૂચન કરેલું. એ એમણે વિજયને પચાવી જાણ્યાનું સૂચક હતું. આ. કુમુદચંદ્ર પોતાને હરાવનાર શ્વેતાંબર આચાર્યને માંત્રિક શક્તિથી ઉપદ્રવ
૨૦