SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુની સાથે માત્ર સાધ્યનો જ સહચાર જાણવાનો હોય છે. હેતુ અને સાધ્ય જ સાથે રહેનાર છે પરંતુ સાધ્યધર્મથી વિશિષ્ટ એવો પક્ષ હેતુની સાથે સચ્ચારવાળો હોતો નથી જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે એમ સહચાર વ્યાપ્તિથી જણાય છે, માટે વ્યાપ્તિકાલે વહ્નિરૂપ ધર્મ માત્ર જ સાધ્ય કહેવાય છે પરંતુ, વઢિથી યુક્ત એવો પર્વતરૂપ ધમાં સાધ્ય કહેવાતો નથી. અન્યથા ધમરૂપ પર્વતને જો સાધ્ય કહીએ તો જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં પર્વત હોય આવી વ્યાપ્તિ થાય, જે ઘટી શકતી નથી. . . एतदेव भावयन्ति - नहि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्याप्यनुવૃત્તિરતિ ૨૨ यत्र यत्र धूमस्तत्र तत्र यथा वह्निरनुवर्तते न तथा पर्वतोऽपि ॥ १९ ॥ કારણ કે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિની જેમ પર્વતની અનુવૃત્તિ થતી નથી (વિત્ર માનુ = અગ્નિ ધરિત્રીઘર = પર્વત) વિશેષાર્થ: હેતુ એવા ધૂમની સાથે અગ્નિનો સહચાર જેવા પ્રકારનો સર્વત્ર મળે છે, તેવા પ્રકારનો ધૂમની સાથે ધમાં એવા પર્વતનો સહચાર સંભવતો નથી, માટે વ્યાપ્તિકાળે સાધ્યરૂપે ધર્મ જ માત્ર હોય છે, ધર્મ સાધ્ય હોતું નથી. અનુમિતિ કાળે સાધ્ય તરીકે ધર્મી (પક્ષ)નું પ્રતિપાદન જણાવે છે. आनुमानिकप्रतिप्रत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः પ્રસિદ્ધ થf રૂ-૨૦ આનુમાનિક પ્રતિપત્તિ એટલે અનુમાન કરવા દ્વારા ઉત્પન્ન થનારી જે પ્રતીતિ તે અનુમાનકાળ. તે કાળની અપેક્ષાએ ધર્મથીયુક્ત અને પ્રસિદ્ધ એવો ધમ (પર્વત) સાધ્ય બને છે. પણ તેનું બીજું નામ છે. आनुमानिकी प्रतिपत्तिः- अनुमितिः, तदपेक्षया ‘पर्वतोवह्निमान्' इत्याकारको धर्मविशिष्टो धर्मी साध्यपदेन व्यपदिश्यते, अस्यैव पक्षेति नामान्तरम् ૨૦ || ૮૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy