SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સામાચારીનું પ્રધાન તત્ત્વ સૂચવવા માટેજ વાપરેલો છે. નહિ કે વૃદ્ધ તિથિના પ્રથમ અવયવાદિને ઉલટાવી દેવા માટે. આ વસ્તુ ઉપર બારીક વિચાર કરી જોતાં નિષ્પક્ષ વિચારકો સ્પષ્ટ સમજી શકશે કે ‘પૂનમ અમાસ આદિની ક્ષયવૃદ્ધિએ તરસ વગેરેની ક્ષયવૃદ્ધિ કરવાની પરંપરા છે' એમ જેઓ કહે છે. તે તદ્દન અસત્ય છે. અને તેના આધારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ ખુદ સંવત્સરી તિથિનું પણ જેઓ હમણાં હમણાં નવું પરાવર્તન કરે-કરાવે છે, તેઓ કેવલ શાસ્ત્ર તથા સામાચારી અને સુવિશુદ્ધ પરંપરાનું ભયંકર ખૂનજ કરે છે. ભવભીરૂ આત્મા એવા ખોટા માર્ગથી હજુ બચે, એમજ આપણે ઈચ્છીએ. तथा-अन्यदर्शनिनां धर्म्मानुष्ठानमनुमोदनीयं न वा ? इति प्रश्नोऽत्रोत्तरम्अन्यदर्शनिनामपि यन्मार्गानुसारि धर्म्मकृत्यं तच्छास्त्रानुसारेणानुमोदनार्हं ज्ञायत કૃતિ IIરૂ-૬-૧૧૦ પ્રશ્નઃ- અન્ય દર્શનીઓના ધર્માનુષ્ઠાન અનુમોદવા યોગ્ય છે કે નહિ? ઉત્તરઃ- અન્ય દર્શનીઓનાં પણ ધર્મકૃત્યો જે માર્ગને અનુસરનારાં હોય તે શાસ્ત્રને અનુસરીને અનુમોદવા યોગ્ય જણાય છે. ૩-૬-૧૧૦ तथा-उपस्थापनाकरणानन्तरं कियत्सु योगदिनेष्ववशिष्टेषु सत्सु मान्द्यादिहेतुना यदि षण्मास्यतिक्रामति, तदा पुनः प्रव्रज्यायोगोद्वहनपूर्वकमुपस्थापना क्रियते तत्र प्रव्रज्या गच्छनायकेनान्येन वा प्रदेया ? इति प्रश्नोऽत्रोत्तरम् - प्रव्रज्या गच्छनायकेन विधेया ।।३-७-१११॥ · પ્રશ્નઃ- ઉપસ્થાપના=વડી દીક્ષા કર્યા પછી તે સાધુને યોગના કેટલાક દિવસો બાકી રહ્યા હોય અને બીમારી આદિના કારણે ૬ મહીના પસાર થઈ જાય ત્યારે ફરીથી દીક્ષાના યોગોદ્દહન કરાવવા પૂર્વક વડી દીક્ષા કરાય છે તે સંબંધમાં દીક્ષા ગચ્છનાયકે કે બીજાએ આપવી જોઈએ? ઉત્તરઃ- ગચ્છનાયકે દીક્ષા આપવી જોઈએ. ૩-૭-૧૧૧ तथा-श्रीआचार्यादीनां वाचनादानमङ्गोपाङ्गवाचनानन्तरं छेदग्रन्थप्रकीर्णकादिसंबन्धि अङ्गविद्याप्रकीर्णकं यावत्केनानुक्रमेण भवति ? इति प्रश्नोऽत्रोत्तरम् - श्रीआचार्यादीनां वाचनाक्रममाश्रित्य किञ्चिद्वाचनासत्कच्छूटकपत्र 'स्थविधिना अथवा सामाचार्यन्तर्गतयोगविध्यनुसारेण च क्रियमाणमस्तीति बोध्यम् ।।३-८-११२।। १ "त्रादुद्धरितं तु सामाचार्यन्तगतयोगविध्यनुसाराच्च क्रियमाणमस्तीति बोध्यम्" इति पाठः प्रत्यन्तरे । પ્રશ્નઃ- શ્રી આચાર્યાદિ સાધુઓને વાચના દાન, અંગ, ઉપાંગની વાચના બાદ છેદ ગ્રંથ અને પયજ્ઞા વગેરે સંબંધિ યાવત્ અંગવિદ્યાપયજ્ઞા સુધીનું કયા અનુક્રમથી થાય છે? ઉત્તરઃ- શ્રી આચાર્યાદિના વાચનાક્રમને આશ્રયીને કેટલુંક વાચના સંબંધિ છૂટા પાનામાં રહેલી વિધિ વડે, અથવા સામાચા૨ીની અંદર રહેલી યોગવિધિને અનુસરીને કરાય છે, એમ જાણવું. ૩-૮-૧૧૨ ૬૦
SR No.005863
Book TitleHir Prashna
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy