________________
શ્રી સુવિધિનાથજી
328
૨) પ્રભુજીના જમણા-ડાબા ઢીંચણની પૂજા... “જાનુબળે કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ;
ખડા ખડા કેવળ લહ્યું, પૂજો જાનું નરેશ.” જાનુબળે, કાયોત્સર્ગ મુદ્રાએ, અપ્રમત્તદશામાં ઊભા ઊભા ધ્યાન ધરતાં કેવળજ્ઞાન મેળવનારા અને દેશવિદેશ વિચરતા અનેક ભવ્યાત્માઓનું કલ્યાણ કરનારા પ્રભુજીના પવિત્ર જાનુની પૂજા કરતાં પ્રાર્થના કરું છું કે મને પણ અપ્રમત્ત આરાધનામાં સહાયભૂત થનારું જાનુબળ પ્રાપ્ત થાઓ! - ૩) પ્રભુજીના જમણા-ડાબા કાંડાની પૂજા...
“લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન;
કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિબહુમાન.” હે નાથ ! એકાવતારી એવા લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી એક વર્ષ સુધી છૂટે હાથે અને મુક્ત મને દ્રવ્યદાન દઈને ભવ્યાત્માઓના દુઃખ અને દારિદ્રને આપે છેદ્યા છે. હે નાથ! આપના પવિત્ર કરકાંડે અત્યંત ભાવભર્યા હૈયે બહુમાનપૂર્વક પૂજા કરતો, ભાવના ભાવું છું કે, હું પણ આપની આ પૂજાના ફળ સ્વરૂપે પરિગ્રહ (ધન)ની મૂછ ઉતારી દાન દેનારો થાઉં !'
૪) પ્રભુજીના જમણા-ડાબા સ્કંધ (ખભા)ની પૂજા...
“માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત,
ભૂજાબળે ભવજળ તર્યા, પૂજો બંધ મહંત.” છદ્મસ્થાવસ્થામાં પણ જ્ઞાનશક્તિથી અને વીર્યશક્તિથી મહાન
(અ) આત્માએ પોતે, પોતાના વડે, પોતામાં પરિણમન કરવાનું છે. (બ) પોતે પોતાવડે પોતાનામાં પોતાનું સ્વરૂપ-પોતાનું પોત પ્રગટ કરવાનું છે.