________________
327
: હૃદય નયન નિહાળે જગધણી
તેમજ કષાયોથી અશાંત આત્માને, એના મૂળ શીતળ શાંત-પ્રશાંતઉપશાંત સ્વભાવમાં લાવવાના ઉદ્દેશપૂર્વક, શાતાદાયી, શીતળ બનાવનાર ચંદનપૂજા અર્થાત્ બરાસપૂજા કે વિલેપનપૂજા; નીચેનો દુહો બોલવાપૂર્વક અને ઉપરોક્ત મંત્રોચ્ચારની વિધિ સાચવવાપૂર્વક, કરવામાં આવે છે.
“શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ - આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ.
કેસર ચંદન ઘસી ઘણા કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂજિયા મયણાને શ્રીપાળ.” : :
ત્યારબાદ આ ગંધપૂજા અંતર્ગત જ, સુગંધિત કેસર મિશ્રિત ચંદન વડે, જમણા હાથની પૂજાની આંગળીથી નખ કેસરવાળા ન થાય એ રીતે, કેસર લઈને નીચે મુજબના નવ દુહા બોલવાપૂર્વક દુહાના ભાવથી અત્યંત ભાવિત થઈ પ્રભુજીના નવ અંગ ઉપર નવાંગી પૂજા કરવામાં આવે છે.
૧) પ્રભુજીના જમણા-ડાબા ચરણઅંગુઠે પૂજા કરવા સમયે બોલવાનો દુહો.
“જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂંજત,
ઋષભ ચરણ અંગુઠો, દાયક ભવજલ અંત.”
જેવી રીતે યુગલિકોએ સંપુટ પત્રમાં જલ ભરી, વિનમ્ર ભાવે વિનયપૂર્વક ચરણઅંગુષ્ઠ આપની પૂજા કરી હતી એવી રીતે ભવસાગરના અંતને આપનાર આપ ઋષભ/અજિત/પાર્શ્વનાથ/મહાવીર સ્વામીના ચરણના અંગુઠે હું પૂજા કરું છું !
આત્માએ આત્મામાંથી આત્મા વડે આત્મધર્મને પામવાનો છે.