SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથજી હ) 326 940 જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર.” કળશ સમાન પરાકાષ્ટાના કેવળજ્ઞાનથી યુક્ત અને સમરૂપતા, વીતરાગતા-પ્રેમરસ-જ્ઞાનરસથી ભરપૂર એવા શ્રી જિનેશ્વર ભગવંતને નવરાવતાં-સ્નાન કરાવવા દ્વારા એ કર્મમલરહિતની કૃપાથી મારો પણ બધોય કર્મમલ ધોવાઈ જાઓ! હું પણ આપના જેવો વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, નિર્વિકલ્પ, નિષ્કર્મા, શુદ્ધ, પવિત્ર જ્ઞાન-આનંદ રસ સભર બની જાઉં! અથવા તો મારા પોતાના આત્મકળશ-આત્મકુંભને જ્ઞાનથી ભરી જ્ઞાનમય બનીને સમતારસથી છલકાવીને, જો હું શ્રી જિનને નવરાવું, તો હું પણ એ જલરસ-જલપૂજાથી મારા કર્મોને ચકનાચૂર કરી નિષ્કર્મા શુદ્ધ-પવિત્ર થાઉં ! અંતે ઉપરોક્ત ફળની માંગણીરૂપ દુહો છે.” જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલ પૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ.” જલપૂજા તથા પ્રત્યેક પૂજાના પ્રારંભમાં, તે તે પૂજાનો દુહો બોલીને નીચેના મંત્રનું ઉચ્ચારણ થાળી-ડંકાપૂર્વક કરાતું હોય છે. “૪ લીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં | ચંદન / પુષ્પ | ધૂપ / દીપ | અક્ષત / નૈવેદ્ય | ફલં યજામહે સ્વાહા.” ૨. ગંધપૂજા-ચંદનપૂજા ત્રિવિધ આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી. (અ) કિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે. (બ) આત્માને ઓળખીને આત્મઘર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy