________________
શ્રી સુવિધિનાથજી
હ)
326 940
જ્ઞાનકળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર;
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર.” કળશ સમાન પરાકાષ્ટાના કેવળજ્ઞાનથી યુક્ત અને સમરૂપતા, વીતરાગતા-પ્રેમરસ-જ્ઞાનરસથી ભરપૂર એવા શ્રી જિનેશ્વર ભગવંતને નવરાવતાં-સ્નાન કરાવવા દ્વારા એ કર્મમલરહિતની કૃપાથી મારો પણ બધોય કર્મમલ ધોવાઈ જાઓ! હું પણ આપના જેવો વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી, નિર્વિકલ્પ, નિષ્કર્મા, શુદ્ધ, પવિત્ર જ્ઞાન-આનંદ રસ સભર બની જાઉં!
અથવા તો મારા પોતાના આત્મકળશ-આત્મકુંભને જ્ઞાનથી ભરી જ્ઞાનમય બનીને સમતારસથી છલકાવીને, જો હું શ્રી જિનને નવરાવું, તો હું પણ એ જલરસ-જલપૂજાથી મારા કર્મોને ચકનાચૂર કરી નિષ્કર્મા શુદ્ધ-પવિત્ર થાઉં ! અંતે ઉપરોક્ત ફળની માંગણીરૂપ દુહો છે.”
જલ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલ પૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ.”
જલપૂજા તથા પ્રત્યેક પૂજાના પ્રારંભમાં, તે તે પૂજાનો દુહો બોલીને નીચેના મંત્રનું ઉચ્ચારણ થાળી-ડંકાપૂર્વક કરાતું હોય છે.
“૪ લીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં | ચંદન / પુષ્પ | ધૂપ / દીપ | અક્ષત / નૈવેદ્ય | ફલં યજામહે સ્વાહા.”
૨. ગંધપૂજા-ચંદનપૂજા ત્રિવિધ આધિ-વ્યાધિ-ઉપાધિના તાપથી.
(અ) કિયાધર્મ એ વ્યવહારધર્મ છે જે સદ્ગતિદાયક છે. (બ) આત્માને ઓળખીને આત્મઘર્મમાં રહેવું તે નિશ્ચયધર્મ છે.