SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ 329 - હૃદય નયન નિહાળે જગધણી એવા આપ, આપની મહાનતાનો અહં કર્યા વગર, આપબળે સ્વયં ભવસાગર, પાર ઉતરી અહમ્-ભગવાન થયા. જાણે કે બાહુબળે મહાસાગર તરી ગયા. મહા અંતને પામી મહંત બનાવનારા એ શક્તિવંત, આપના પવિત્ર સ્કંધોની પૂજા કરતાં, હું પ્રાર્થ છું કે, આપની આ પૂજાના ફળરૂપે હું મારા માનકષાય ઉપર વિજય મેળવી, અહમ્નો નાશ કરી અઈમ્ બનું! માનને હણી મહાન બને અને મહા અંત એટલે કે નિર્વાણને પામનાર મહંત બનું ૫) પ્રભુજીના મસ્તકે પૂજા કરતાં.... , “સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; , વસીયા તેણે કારણ ભવિ, શિરશિખા પૂજંત.” સ્ફટિકમય પારદર્શક ઉજ્જવલ શ્વેત સિદ્ધશિલાની ઉપર, ચૌદ રાજલોકના શિખરે, લોકના ઉર્ધ્વ છેડે ભગવંત સ્થાયી થયા છે; તે કારણે આપના પ્રફુલ્લિત બ્રહ્મરંધ્ર (શિરશિખા)ની પૂજા કરતો થકી ભાવના ભાવું છું કે, આપ પ્રભુજીની મસ્તકપૂજાના ફલ સ્વરૂપ હું પણ લોકાગ્ર શિખરે સાદિ-અનંતકાળ સ્થાયી થાઉં ! ૬) પ્રભુજીના લલાટે પૂજા કરતાં... તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.” તીર્થકર નામકર્મના વિપાકોદયના પુણ્ય પ્રભાવે પૃથ્વી, પાતાળ અને સ્વર્ગલોક, એ ત્રણે ભુવનના લોકો વડે સેવાતાં-પૂજાતાં જાણે ત્રિભુવનના તિલક હોય એવા શોભાયમાન, પ્રભુજીના ભાલ-કપાળ ઉપર તિલક એટલે પૂજા કરતો જાણે વિજયતિલક કરતો અને સ્વયંને વિજયતિલક પમાડતો હું મારી જાતને વિજયવંત અનુભવું છું! એ એવા આજ્ઞાચક્રની આત્મા એના મૌલિક સ્વરૂપમાં સંબંધ વિનાનો અદ્વૈત હોવાથી સંબંધની છઠ્ઠી વિભક્તિ આત્માને લાગુ પડતી નથી.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy