SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ 107 હૃદય નયને નિહાળે જગધણી નિરાલંબન, સ્વાધીન-પરાધીન, સાકાર-નિરાકાર, સાવરણ-નિરાવરણ, સ–અસત્, નિત્ય-અનિત્ય, વિનાશ-અવિનાશી, સ્થિર-અસ્થિર, સક્રિયઅક્રિય, મૂર્ત-અમૂર્ત, રૂપી-અરૂપી, નામી-અનામી, જીવ-અજીવ, જડચેતન, ઉપચરિત-અનુપચરિત, ક્રમિક-અક્રમિક, વૈત-અદ્વૈત ઈત્યાદિથી વિશ્લેષણ કરવું જોઈશે. જડ-પુદ્ગલને સંયોગ-વિયોગ, ઉત્પાદ-વ્યય, સર્જન-વિસર્જન, સંકોચ-વિસ્તાર આદિથી વિશ્લેષણ કરી સમજવાનું અને સમજાવવાનું છે. પરિશીલન એટલે જ જે કાંઈ વાંચન, શ્રવણ, મનન કર્યું છે તેમાં ઊંડા ઉતરી એના હાઈ-મર્મને હૃદયસ્થ કરવો અને જીવનમાં ચરિતાર્થ કરવો. જે કાંઈ વાંચ્યું, સાંભળ્યું છે તેને વાગોળી-વાગોળીને એના રસને એટલે કે સારભૂત તત્ત્વને અસ્થિ-મજા બનાવવું એ નિદિધ્યાસન છે. નિદિધ્યાસનથી સ્વરૂપની પ્રતીતિ થાય છે, જે સ્વરૂપાનુભૂતિ પ્રતિ દોરી જાય છે. એ સ્વનો અધ્યાય એવો ચોથા પ્રકારનો સ્વાધ્યાય નામનો અભ્યતર તપ છે. એમાં વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા હોય છે. એ પાંચમાંના પરાવર્તન અને અનુપ્રેક્ષા છે તે જ પરિશીલન છે. કારણ જોગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ રે, એ નિજ મત ઉન્માદ. સંભવદેવ.૫ પાઠાંતરે જોગેને સ્થાને યોગઈ, નીપજેને સ્થાને નિપજઈ, એહમાને સ્થાને એમાં, સાધીએને સ્થાને સાધીશું, અને ઉનમાદને સ્થાને ઉન્માદ છે. શબ્દાર્થ કારણના યોગે-જોગ-સંયોગે કરીને કારજ એટલે કે જાણનારો સતત જણાયા કરે તો સાધનામાં વિકાસ થાય. આપણું અરૂપી સ્વરૂપ જે છે તે ઉપયોગની પકડમાં આવવું જોઈએ.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy