SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથજી એમના ૬૬મા અને ૬૮મા પદમાં સાધુ સંગતિ ચાહી છે. સાધુસંગતિ અરુ ગુરુકી કૃપાતેં, મિટ ગઈ ફુલકી રેખા; આનંદઘનપ્રભુ પરચો પાયો, ઉતર ગયો દિલ ભેખા. સાધુભાઈ અપના રૂપ જબ દેખા. - દેવ અસુર ઈન્દ્રપદ ચાહ્ ન, રાજ ન કાજ સમાજ રી; સંગતિ સાધુ નિરંતર પાવું, આનન્દન મહારાજ રી. સાધુસંગતિ બિનુ કૈસે પૈસેં... એક ઘડી આંધી ઘડી, આધીમેં પુનિ આધ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ. સંત તુલસીદાસ 106 ચરમ યથાપ્રવૃત્તકરણમાં આવેલો જીવ સદ્ગુરુના ઉપદેશથી તેમજ તેમની આજ્ઞાથી, આત્મવિજ્ઞાન-આત્મસ્વરૂપને સમજાવનારા અધ્યાત્મગ્રંથોનું નિરંતર પઠન, શ્રવણ, મનન કરે છે. વારંવાર તેનું પરાવર્તન કરે છે પરિશીલન એટલે કે ઊંડું ચિંતન-અધ્યયન કરે છે. વળી એ પરિશીલન સૂક્ષ્મ ધારદાર બને તે માટે પદાર્થોની-તત્ત્વની વિચારણા, નયસાપેક્ષ, હેતુવાદ, આશય આદિના લક્ષપૂર્વક કરે છે. આત્મા જેવા પદાર્થને દ્રવ્ય-ભાવ; વ્યવહાર-નિશ્ચય, જ્ઞાન-ક્રિયા, આદિ સર્વ પડખાઓથી .(પાસાઓથી) વિચારવામાં આવે ત્યારે જ આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ સમજાય છે અને શ્રદ્ધેય બને છે તેથી સદ્દહણા થાય છે. જીવ, જગત અને જગન્નાથ (પરમાત્મા) સહિત અધ્યાત્મને આ નીચેના દ્વૈતજોડકાં-યુગલના વિશ્લેષણથી સમજી અને સમજાવી શકાય છે. આત્માને સમજવા સગુણ-નિર્ગુણ, સવિકલ્પ-નિર્વિકલ્પ, સાલંબન વિકલ્પો અને વિકારો પેદા થવા તે જ્ઞાનની મલિનતા છે. નિર્વિકલ્પ સ્વરૂપ ઉપાદેય લાગવું જોઇએ.
SR No.005855
Book TitleHriday Nayan Nihale Jagdhani Part 01
Original Sutra AuthorAnandghan
AuthorMuktidarshanvijay
PublisherMatunga Shwetambar Murtipujak Tapagaccha Jain Sangh
Publication Year2008
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy