________________
૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1266 જ તરસ છીપે એમ માનનારાઓ એના ત્યાગની વાતમાં સુખ છે એમ માને જ નહિ. સંયમમાં એમને ભોગવંચના લાગે છે. ભોગનો ત્યાગ એ આત્માને સુખથી વંચિત રાખવાનો ધંધો છે એમ નાસ્તિકો કહે છે. નિયમને બંધન માનનારાઓ પર નાસ્તિકોની છાયા છે એમ માનવામાં વાંધો શો ? સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ વગેરે ઉપરની આપણી શ્રદ્ધા જો ઊડી જાય તો આપણને પણ નિયમની વાત ન જ ગમે. મોજશોખ અને રંગરાગ ઉપર અંકુશ આવે એવી આ નિયમની વાત કોને ગમે ? એના જ કારણે આજનો આ બધો ઘોંઘાટ છે. એ- ઘોંઘાટના કારણે તો નિયમમાં માનનારો અને લેનારો ત્રીજો વિભાગ પણ ક્યારે ચલાયમાન થાય તે કહેવાય નહિ. ભાગવાના ભયથી જ નિયમ નહિ લેનારો જે બીજો વિભાગ છે તેના અંગે પણ આપણે વિસ્તૃત વિચારણા કરી ગયા. . . જ્ઞાનીના જીવનને નહિ પણ જ્ઞાનીની આજ્ઞાને અનુસરોઃ .
સારાં ખાનપાન અને સારી સામગ્રી જોઈ તમારા મોંમાં પાણી ન આવે તેમ નથી. દુનિયાનો લાભ મળતો હોય તો ધર્મને બાજુએ મૂકતાં એક મિનિટ પણ ન લાગે એવી તમારી પણ હાલત છે. સંસારના સુખમાં ધર્મનો રાગ થવો મુશ્કેલ છે; હજી દુ:ખમાં ધર્મ ઉપર રાગ થાય. પૂર્વની આરાધના હોય, પુણ્યાનુબંધી પુણ્ય હોય તો રાજા મહારાજા અને શેઠ શાહુકારોને પણ વૈરાગ્ય થાય એ વાત ખરી; બાકી તો સુખમાં વિરાગ આવવો સહેલો છે ? સામાયિક કે પૂજા વગેરે સુખમાં યાદ આવે ? ન આવે. મોટાભાગે એ અસંભવત. સાચા જ્ઞાન સિવાય જે વૈરાગ્ય થાય તે દુ:ખથી અથવા મોહથી. ”
સભા: વૈરાગ્ય તો જ્ઞાનગર્ભિત હોય તો જ સાચો ને ?”
પૂરું સમજ્યા વિના જ્ઞાનગર્ભિત વૈરાગ્યની બાંગ પોકારનારાઓ તદ્દન મૂર્ખ છે. દુનિયાના પદાર્થોની મમતાથી ખસ્યા વિના, સારા સંસર્ગમાં જીવન સમર્યા વિના, જ્ઞાનીએ વિહિત કરેલાં વિધાનોને આચર્યા વિના સાચું જ્ઞાન થાય જ ક્યાંથી ? વાતવાતમાં શ્રી જિનેશ્વરદેવનું દૃષ્ટાંત આગળ કરનારાઓએ સમજવું જોઈએ કે એમને તો ગર્ભથી જ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાન પરમ વિશુદ્ધ કોટિનાં હતાં. આપણી મતિ તો એવી મંદ કે કોઈ વાત પૂરી સમજાય નહિ, ઘડી પહેલાંની વાત યાદ પણ રહે નહિ. શ્રુતજ્ઞાન તો ઠેકાણા વગરનું અને અવધિ તો છે જ નહિ. એવા આપણે, એ ત્રણ જ્ઞાનના ધણીના જીવનની વાતોને વળગવા જઈએ તે નકામું છે. આપણા માટે તા તેમની આજ્ઞા જ આધારભૂત છે. એ આજ્ઞા પ્રત્યે પ્રેમ ન હોય ને તેમના જીવનની વાતો કરવી એ તો મૂર્ખતા છે.