________________
1267
- ૬ઃ એવા ફેરફાર કરનારા સંઘ નથી - 86 – ૭૯ અધર્મી પ્રત્યે કરુણા અને ધર્મવિરોધનો તિરસ્કાર :
આ નિયમોની રુચિ તે સાચા આસ્તિક્યનું ચિન છે. ધર્મીપણાની ઓળખ છે. એવો ધર્મ અધર્મીને જોઈને ભડકે નહિ પણ એની દયા ખાય. મહેનત કરીને પૈસો મેળવનારને દરિદ્રી પર ગુસ્સો ન આવે, કેમકે ભાગ્ય અને પુરુષાર્થ વિના પૈસા નથી મળતો, એમ એ સમજે છે. જેમ જેમ આત્મા ધર્મ પામે તેમ તેમ ધર્મહીનને જોઈને એને થાય કે ધર્મ પામવો સહેલો નથી, એ તો ભાગ્યવાન જ પામે. એને અભિમાન પણ ન આવે, પરન્તુ એ તો પોતાનાથી અધિક ધર્મી તરફ જોઈને પોતાની પામરતાનો વિચાર કરે. સમાન ધર્મી અને અલ્પધર્મી કે હીણધર્મીની એ દયા ચિંતવે. ધર્મના વિરોધી પ્રત્યે પણ હૈયામાં દયા તો છે જ, તેમ છતાં એના વિરોધની પ્રવૃત્તિ પ્રત્યે તિરસ્કારની વૃત્તિ જરૂર આવે, કારણ કે પોતે ધર્મ કરતોયે નથી અને બીજાને ધર્મથી વિમુખ કરે છે. કોઈને નિયમો બંધન લાગે તેથી ધર્મી મૂંઝાય નહિ, નારાજ થાય નહિ. એ સમજે છે કે જેને સંસારમાં રસ છે તેને નિયમ ન જ ગમે. અજ્ઞાન તિર્યંચો કે જેમની પાસે તેવી વિષયસામગ્રી નથી, તે પણ ઇંદ્રિયોને આધીન છે અને વિષય માટે જિંદગી બરબાદ કરે છે, તો મનુષ્યો કે જેઓ પાંચે ઇંદ્રિયો પામ્યા છે, સારી સામગ્રી ધરાવે છે, ઘણા કાળથી ભોગવવાની લાલસા પુષ્ટ કરી કરીને આવ્યા છે અને ભાગ્યયોગે અહીં સામગ્રી મળી ગઈ છે, એનો ત્યાગ કરી દેવાની ભાવના આવવી એ નાનીસૂની વાત નથી. નિયમને બંધનમુક્તિનું સાધન માનો છો ? - હવે જેઓ નિયમને બંધન માને તેની વાત દૂર રાખો પણ તમે તો નિયમને બંધનમુક્તિનું સાધન માનો છો ને ? માટે તમારો નંબર સૌથી પહેલો છે. ભાગી જવાના ભયથી નહિ લેવાની ભાવનાવાળા વર્ગમાં પણ તમે એનાથી આગળ વધેલા છો. સાચું શરણ તો દીક્ષા જ છે પણ એ શ્રેષ્ઠ કોટિની વાત હમણાં આપણે નથી કસ્તા. સર્વવિરતિમાં સંસાર સર્વાશે તજવો પડે પણ હમણાં તો આપણે જેમાં થોડે થોડે અંશે ત્યાગ હોય તેવા નિયમોની વાત કરીએ છીએ. આ નિયમો એવા કે સંસારમાં રહેવાય, ખવાય, પીવાય, ઓઢાય, છતાં ધર્મ પળાય. જો કે ત્યાં પણ ધ્યેય તો સર્વવિરતિનું જ; એટલે અંશે તો ત્યાગ છે જ. જૈનશાસનને પામે તે નિયમપ્રિય હોય ?
તદ્દન સ્વચ્છંદી થઈને ફરવું અને ધર્મી ગણાવું એ ન નભે ! અન્ય કુળમાં જન્મેલો માર્ગાનુસારી પણ એવો હોય છે કે જ્યાં ધર્મ સાંભળે ત્યાં દોડ્યો જાય. ધર્મ વિના એને ચેન ન પડે. તમે અન્ય કુળમાં જન્મ્યા હોય તો પૂર્વની