SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : એવા ફેરફાર કરનારા સંઘ નથી વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧૦, સોમવાર, તા. ૧૦-૩-૧૯૩૦ ♦ નિયમને બંધન માનવું એ નાસ્તિકતાની છાયા છે : ♦ જ્ઞાનીના જીવનને નહિ પણ જ્ઞાનીની આજ્ઞાને અનુસરો ! • અધર્મી પ્રત્યે કરુણા અને ધર્મવિરોધનો તિરસ્કાર : ♦ નિયમને બંધન-મુક્તિનું સાધન માનો છો ? જૈનશાસને પામે તે નિયમપ્રિય હોય : ♦ બેકારીનું મૂળ, નિયમનો અભાવ : ♦ નિયમ વિના તો સર્વત્ર ઉપદ્રવો : વિનય તો જૈનશાસનમાં જ : તોય તમે નિયમિત ન બન્યા : ... ♦ ફરજનું ભાન : • દેવદ્રવ્ય સામે નજ૨ કરનારાઓને : મરજી મુજબ બંધારણ ઘડનારા સંઘ બહાર : વગર સમજ્યે ગમે તેની ટીકા નહિ કરું : કુર્તકવાદીઓનું સાહિત્ય ન વાંચો : એ સ્વચ્છંદીઓ સાધુઓ સામે પડીને કદી ફાવવાના નથી : 86 નિયમને બંધન માનવું એ નાસ્તિકતાની છાયા છેઃ અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘની મેરૂ સાથે સ૨ખામણી ક૨તાં પીઠ તથા મેખલાની સરખામણી કરી ગયા અને હવે કૂટ અર્થાત્ શિખરની સરખામણી કરે છે. શિખર વિના પર્વત ન શોભે તેમ ચિત્તરૂપી શિખરો વિના શ્રી સંઘરૂપી મેરૂ શૈલ પણ શોભતો નથી. મેરૂનાં શિખર જેમ ઊંચાં, ઉજ્વલ અને પ્રકાશમાન છે અને તે સુવર્ણશિલાતલ પર ગોઠવાયેલાં છે અને તેજ એની શોભા છે, તેમ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ શ્રી સંઘ મેરૂ પણ ઊંચાં, ઉજ્વલ અને ઝળહળતાં ચિત્તકૂટોથી શોભે છે અને તે કૂટો ઇંદ્રિય તથા મનને દમનાર નિયમોરૂપી સુવર્ણશિલાતલ ૫૨ હોવા ઘટે. ઇંદ્રિયો તથા મનનું દમન થવાથી અશુભ અધ્યવસાયનો નાશ થાય છે, જેથી ચિત્તની ઉચ્ચતા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy