________________
૭૧
1259
૫ બંધનમુક્તિનો માર્ગ,નિયમ-85 - ચોર રોજ ન આવે પણ રોણિયા તો રોજ બૂમ મારે. તે રીતે અમારું પણ એ જ કામ છે. રોણિયા પણ લાંચિયા બને તો ચોરના ભાગીદાર થઈ જાય માટે સાવચેત રહેવાનું. જૈનશાસનમાં પણ એવા રોણિયા આજે પાક્યા છે. રોણિયા છતાં સાવચેત લોકો પહેરેગીર રાખે છે. સાધુવેષમાં પણ માર્ગ ભૂલેલા હોય માટે એવાથી સાવચેત રહેવું.
લશ્કર મોટું હોય છતાં રાજાના અંગરક્ષક જુદા હોય. એ ચૂંટાયેલા હોય અને ચોવીસે કલાક ત્યાં જ રહે. રાજાના રક્ષણ ખાતર પોતાનો જાન ખતમ કરે તેવા હોય. ચાલુ સિપાઈઓ વાઇસરોયના અંગરક્ષક ન હોય. એ મોટા ભાગે એની જાતના અને પૂરેપૂરી વફાદારી રાખે તેવા હોય. બધી પોલીસ સરકારની છતાં વાઇસરોયના પહેરા માટે એ ન ચાલે. કેમકે એ સમજે છે કે એના પગાર ટૂંકા - એના હાથમાં કોઈ સોની નોટ સેરવે તો ફૂટી જવા સંભવ ખરો. જૈનશાસનમાં પણ જેઓ માનપાન અને વાહવાહના રસિયા છે, ગૃહસ્થોના રોટલાની રુશવતમાં ફસાયા છે, બેંડવાજાથી દબાઈ ગયા છે, તેવાઓ વિશ્વાસુઓને મારી નાખે; એના ભરોસે ન રહેવાય.
સભાઃ “વાઇસરોય માટે એની જાતના નહિ પણ ગુરૂખાઓ હોય છે.” એ ગુરખા કેવા ? સભા: “પૂરા વફાદાર.”
તો વાત પતી ગઈ. વફાદાર એટલા પોતાના અને વફાદારીની ખાતરી વગરના પારકા. વફાદાર એવા પટેલ કે બ્રાહ્મણને પણ અહીં રાખું પણ વફાદારી વગરના જૈનને ન રાખું. પાંચ ખમાસમણ દેનારને પણ કાઢી મૂકું. એવાના ભરોસે ન રહું. વંદન કરીને પણ મારનારા હોય એવો આ જમાનો છે. ઘી વહોરાવીને. અમને માર્ગેથી ખસેડી દેનારા નીકળે. એવાઓને ત્યાં આહારપાણી લેવા જતાં સાધુઓએ બહુ સાવચેત રહેવું જોઈએ. એ વહોરાવે કાંઈ અને બહાર પ્રચાર કરે કાંઈ. અમને બહાર હલકા ચીતરવા માટે આવું અમારા માટે પણ કરનારા નીકળ્યા છે. પરંતુ અમને એમનો ભય નથી. લાંચરુશવતના સેવકોએ જ દુનિયાથી ડરવાનું હોય. જૈનશાસનને જફા પહોંચાડવાનો પ્રયત્ન કરનારા મોટા ચમરબંધી હોય કે સૉલિસિટર-બૅરિસ્ટર હોય તો તેમને પણ ઘેર જવાનું કહી દેવામાં હરકત નથી. એ લોકો કાયદાની બારીકીમાં ફસાવી દેવાની પણ ધમકી અમને આપી રહ્યા છે; પણ કાયદા વિરુદ્ધ વર્તન કરતા હોય તે એનાથી ડરે. છદ્મસ્થોના ફાયદાને ઘોળી પીએ એવા