________________
1257 – – ૫ બંધનમુક્તિનો માર્ગ, નિયમ-85 -
- ૬૯ પોતાનો ધંધો ધપાવ્યે જાય છે અને લોકોને મૂર્ખ બનાવ્યું જાય છે. ધંધાદારી કુનેહ વાપરી એવાં છાપાં મોજ ઉડાવ્યે જાય છે. સમાચારમાં કાંઈ વજૂદ ન હોય છતાં મથાળે લખે કે- તાજા સમાચાર, અમારા ખાસ પ્રતિનિધિ તરફથી” પછી એ ખાસ પ્રતિનિધિ ગમે તેવો હોય, લાંચિયો પણ હોય, પાંચ-પચીસ ખિસ્સામાં પડે એટલે ફાવે તેમ લખી નાંખનારો હોય તો પણ વાંધો નહિ. ખાસ પ્રતિનિધિ તરફથી લખ્યું એટલે પછી એની તકરાર નહિ, એનો કેસ પણ ન ચાલે. આવી આજનાં છાપાંઓની દશા છે. એવાઓ માટે શાસ્ત્ર જ શસ્ત્ર બને ?
પ્રભુશાસનના આધારભૂત નિયમોના નાશ માટે પ્રયત્ન કરનારા આવા નાસ્તિકોને આસ્તિક માનવામાં કે સંઘમાં છે એમ ગણવામાં ફાયદો નથી પણ પ્રત્યક્ષ હાનિ છે. એવાઓ સાથે સંબંધ ધરાવનારા અહીં બેઠા હશે તેમને થતું હશે કે મહારાજ ચાર દિવસથી આની આ જ વાતો કેમ કરે છે ? એ કાંઈ સમજવાના નથી તો પછી ફાયદો શો ? તેઓ જાણી લે કે - હું એમને સમજાવવા કહેતો જ નથી, હું તો અહીં જે બેઠેલા છે તેમને સમજાવવા કહું છું. આ સભામાં કંઈક એવા ભોળા છે કે જે બિચારા પેલાઓના ફંદામાં ફસાઈ જાય. મારે એમને સમજાવવું છે કે તમે અહીંથી બહાર જશો ત્યારે એવા પણ તમને મળશે કે જે, આ નિયમો બેડી છે એમ તમને સમજાવશે.
'એ લોકો કહે છે કે-પાપ એ લોઢાની બેડી છે તો પુણ્ય એ સોનાની બેડી છે. માટે પુણ્ય પણ કરવું નહિ. પછી કોઈ પૂછે કે “ત્યારે કરવું શું ?' તો કહેશે કરતા હોઈએ તે કરવું.” હોશિયાર એવા છે કે “પાપ કરવું એમ નહિ કહે પણ કરતા હોઈએ તે કરવું” એમ કહેશે ! વળી એ લોકો એમ પણ બોલે છે કે “ધર્મ અને અધર્મ બેયના ક્ષયથી મુક્તિ મળે. અધર્મનો ક્ષય દુષ્કર છે માટે ધર્મનો ક્ષય પહેલો કરવો. અધર્મના ક્ષયની વાત પછી જોઈ લેવાશે.’ આવાના હાથમાં આ ગ્રંથો આપવાની શાસ્ત્ર ના પાડી છે. એ તો એમાંથી પણ એનું ફાવતું જ શોધે. પાનાં ફેરવતાં ફેરવતાં જ્યાં ધાતુવાદ, અર્થવાદ કે કામવાદની વાત આવે ત્યાં જ ઊભા રહે. મૂર્ખાઓ તથા ભવાભિનંદીઓ માટે શાસ્ત્ર પણ એમનો ઘાત કરનાર નીવડે. શાસ્ત્ર એમના માટે શસ્ત્ર બને.
સભાઃ “ઇતર ધર્મોમાં પણ આવી જ હાલત છે.”
આજે તો દરેક ધર્મોમાં આ હાલત છે. આવા જીવો ચરમાવર્તમાં પણ આવ્યા છે કે કેમ એ શંકા લાગે.