SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 1255 ૫ બંધનમુક્તિનો માર્ગ,નિયમ- 85 હોય તોયે એમાં ના ન કહી શકે. આવનારને પણ વિચાર થાય અને ફરી ન આવવાના વિચારે ચાલ્યા જવાનો વિચાર કરે. આવી સભામાં કોઈ ન બોલે અને સૌ એવું વિચારે કે ફલાણા કેમ નથી બોલતા ? વાંધો હોય તો એ તો બોલે ને ? આમ સૌ એકબીજા માટે વિચારે એટલે ભૂમ ચક્વર્તી જેવું થાય. સૈન્ય સહિત દરિયામાં જઈ રહ્યા હતા, ત્યારે સોળ હજાર યક્ષોને એક જ સમયે વિચાર આવ્યો કે હું એક ન ઊંચકું તો શું વાંધો ? બધાએ એ પ્રમાણે કર્યું ને સુભૂમ સૈન્ય સાથે ડૂબી મૂઓ. એનો તો નાશ સરજાયો હતો માટે એમ બન્યું પણ જેના બચાવની એક પણ બારી હોય ત્યાં આમ ન બને. આવા વખતે કોઈ પણ ન બોલે તો માનવું કે ત્યાંથી શાસન ગયું. બધા ન બોલે તો એક પણ ન બોલે એવો નિયમ નથી. એક પણ બોલવું જ જોઈએ. જે બોલે તે પોતાની ફરજ બજાવે છે, નથી બોલતા તે ફરજ ચૂકે છે. -આપણે એવા વર્ગને દૂર કરવા માગીએ છીએ? આજે કેટલાક ઉપદેશકો સંસારને સાર કહે છે અને ઊલટી માન્યતાઓ પ્રચારે છે એનું કારણ સમજો. એમની એવી માન્યતા છે કે-જેમ આપણાથી બસો વર્ષ પહેલાંના આચાર્યો પૂર્વાચાર્યો કહેવાય છે તેમ આપણે પણ બસો વર્ષ પછીનાઓ માટે પૂર્વાચાર્યો ગણાઈશું. જેમ અત્યારે પૂર્વના પુરુષોની વાત શાસ્ત્રવચન તરીકે મનાય છે તેમ તે વખતે આપણી વાતો પણ શાસ્ત્રવચનો તરીકે મનાશે. માટે હાલ આપણને કોઈ જુઠ્ઠા કહે, નિનવ કહે, ગપ્પાં ચલાવનારા કહે, તેની કાંઈ ચિંતા કરવી નહિ. નિર્ભયતાથી આપણને ઠીક લાગે. તેમ બોલ્ય જવું. મહાપુરુષોની કિંમત તેમના સમયમાં કદી અંકાતી નથી માટે વર્તમાનમાં કોઈ નિંદા કરે તેથી ડરવું નહિ. બસો વર્ષ પછીનાં શાસ્ત્ર વાંચનાર કહેશે કે-જેમ સંસારને અસાર કહેનારા પૂર્વાચાર્યો હતો તેમ સંસારને સારો કહેનારા પૂર્વાચાર્યો પણ હતા. માટે તેમાં કાંઈ એકાંત ન સમજવું.પણ આવું માનનારા તેમને એ ખબર નથી કે બસો વર્ષ પછી પણ શાસ્ત્રો વાંચનારા બધા કાંઈ ગમાર નહિ હોય, કે જે એ પ્રમાણે વાંચશે, માનશે, બોલશે અને બીજાને સમજાવશે. તે સમયના આત્મવેદી તો આવા ઉન્માર્ગદશક પૂર્વાચાર્યોના એવા પ્રકારનાં વિધાનો ઉપર ચોકડી જ મૂકવાના. નિયમબદ્ધ જીવનનો નાશ કરવા માટે એવા લોકો આવું અત્યંત અનીચ્છનીય વાતાવરણ ફેલાવે છે. આપણે તો એવાઓને અહીંથી દૂર કરવા માગીએ છીએ. જેઓ નિયમને બંધનરૂપ, ઝેરરૂપ, ત્રાસરૂપ અને જીવનને બરબાદ કરનારા માને છે તે નાસ્તિકો છે, બહાર એવું બોલે છે તે મોટા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy