SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ કરાય પણ કાચનાં વાસણ કે વસ્તુ તૂટે એટલે ગઈ જ સમજવી. આમ છતાં દીવાનખાનાની શોભા માટે એવી કાચની ચીજો લાવી લાવીને ગોઠવાય છે; આમ છતાં પણ જ્યારે નિયમ લેવાની વાત આવે ત્યારે આ લોકો જ ‘ભાંગે તો !’ કહીને ઊભા રહે છે. 1250 સમ્યગ્દષ્ટિ કહેવડાવનારે આવી ભડકામણી વાતો કરવી બંધ કરવી જોઈએ. જો પોતાને પોતાના આત્મા પર વિશ્વાસ છે કે ‘મારું મન દઢ છે તો મારે નિયમની જરૂર શી ?' તો પછી એવા માણસને નિયમ ભાંગવાનો ભય જ કેમ લાગે ? એવો માણસ ‘નિયમ ભાંગે તો ?’ એમ જે બોલે છે તે નિયમ ભાંગવાના ભયથી નહિ પણ નિયમ એને રૂચતો જ નથી માટે. નિર્બળ આત્મા નિયમ ન લેવામાં બહાનાં કાઢે કે-“મારી નબળાઈ છે, ‘પાળી શકીશ’ એવો આત્મવિશ્વાસ નથી એટલે લેતો નથી બાકી લેવો જ છે.” ન લેવો માટે ‘ભાંગી જાય તો ?’ એમ કહીને બહાનું કાઢે એ તો કેવળ ગપ્પીદાસ છે. સારી ચીજ ‘જતી રહેશે’ એવા ભયથી લેવી જ નહિ એવું દુનિયામાં કોઈ પણ ડાહ્યા અને સારા ગણાતા માણસો માનતા જ નથી. સારી ચીજ તો મળે ત્યાંથી ભેગી કરો છો, તાળાકૂંચીમાં મૂકો છો, જરૂર પડ્યે તિજોરીમાં મૂકો છો, ઘરની બહાર કમ્યાઉન્ડની ઊંચી દીવાલો કરાવો છો, ચોકીદાર બેસાડો છો, આટલું કરવા છતાં લૂંટાય છે કે આગ લાગે ને વિનાશ થાય છે, તેમ છતાં હવે વસાવવી જ નહિ એવો નિર્ણય નથી કરતા. ભાંગવાને બહાને નિયમ જ નહિ લેવાની ભાવના એ દુષ્ટ મનોવૃત્તિ છે. કોઈ કહે કે‘ભાઈ ! આ નિયમ પાળવો બહુ કઠિન છે હો !' તો લેનાર કહે કે હું નિયમ સાચવવાની વધારે કાળજી રાખીશ. જો એવું ન હોય તો મોટાં મહાવ્રત કોઈને અપાય જ.નહિ. ‘તીવ્ર કર્મનો ઉદય આવશે જ નહિ’ એવી ખાતરી ન હોય તો ઘેર જા, તને નિયમ ન અપાય-આવું નિયમ લેવા આવનારને સાધુ પોતે કહે તો શું થાય ? કર્મયોગે પડનારનો ચડવાનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો : ‘નિયમ ભાંગે તો ?’ આવો ભય ઊભો કરનારને શાસ્ત્ર કહે છે કે-ભાંગે તો પ્રાયશ્ચિત કરી ફરી લે. નૃત્યકળામાં પારંગત થયેલા પહેલેથી જ હોશિયાર નથી હોતા. શરૂઆતમાં જ પગ વાંકો પડે ને ઘેર જવાની વાત કરે તે હોશિયાર બને નહિ. વાંકાચૂંકા એકડા કાઢનારાને શિક્ષકે નભાવ્યા એ વિદ્યાર્થીઓ આજે મોટા મોટા ચોપડા લખતા થયા. એવાને નભાવ્યા એ શિક્ષકની મહેરબાની નથી ? નિશાળમાં ભય પામીને કોઈ બાળક મૂતરી પણ જાય, કપડાં અને જગ્યા પણ બગાડે તો પણ શિક્ષક એને બહાર ન કાઢી મૂકે. શિક્ષક ઓળખે છે કે આ બાળક
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy