________________
1245
–
– ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 –
–
૫૭
આવી છે. હવે જો હું એની પાસે જાઉં, એની સારવારમાં પડું તો તો એની આંખ ખૂલે અને મને જુએ એટલે પાછો મારા પ્રત્યેનો મોહ વધે અને વારંવાર મૂચ્છ આવવાનું કારણ પ્રબળ બને. એ રીતે વારંવાર મૂચ્છ લાવવી એ ઉચિત નથી. આ એક જ મૂર્છાથી હંમેશની મૂર્છા જાય એ જ ઇષ્ટ છે.' આમ વિચારી શાલિભદ્રજી માતા પાસે ન ગયા.
શાલિભદ્રજીને આ વિચાર આવ્યો એનું કારણ કે તેઓ શ્રી જૈનશાસનને પામ્યા હતા, ધર્મના રહસ્યને સમજ્યા હતા, ધર્મદેશના સાંભળીને આવ્યા હતા. સ્નેહીને વિષયોનો રાગી રોવરાવે કે વિષયોનો ત્યાગી રોવરાવે ? વિષયોનો રાગી પોતાના સ્વાર્થ માટે કુટુંબીઓને રોવરાવે પણ ત્યાગી કદી ન રોવરાવે. કુટુંબીઓ સ્વાર્થવશ મોહથી રૂવે તે વાત જુદી છે પણ તેની સાથે વિરાગીને નિસબત નથી.
દીક્ષા અંગે આવી દયાની વાતો કરનારા અને મા-બાપની ભક્તિની વાતોને આગળ ધરનારા, રોજ મા-બાપને પગે લાગનારા તો ખરા ને ? પત્ની ખાતર મા-બાપને જુદા કાઢનારા અને અલગ રસોડું કરીને રહેનારા તો આ બધા નહિ જ ને ? હવે સ્ત્રીની દયાની વાત અંગે વિચારીએ. એ દયાની વાત કરનારા પોતાની સ્ત્રી જો ભોગને યોગ્ય ન રહે એવી ખામીવાળી થાય અગર તો એને સંતાન ન થાય તો એની સાથે કઈ રીતે વર્તે છે ? આ દયાળુઓને ત્યાં કેમ દયા આવતી નથી ? વિરોધીઓની માયાજાળ ઃ
સભા: “માબાપ નિરાધાર હોય તો ?
આ બધી ઉપજાવી કાઢેલી વાતો છે. આવો કોઈ દાખલો હોય તો લાવે. સંયમ લેનાર મા-બાપનો ભક્ત જ હોય. એ કંઈ ખૂની કે નિર્દય નથી હોતો. માબાપ જો સંયમના રાગી હોય તો પોતાના કુળદીપક પુત્રને સંયમ લેતાં રોકે જ નહિ. તકલીફ વેઠીને પણ પોતાનો ગુજારો કરે છે પણ પુત્રને સંયમમાર્ગે જતાં રોકતા નથી. કદાપિ તદ્દન નિરાધાર હોય તો એવી અવસ્થામાં તેમને રખડતા મૂકીને સંયમી થનાર ચાલ્યો જાય, એમ માનો છો ? જો મા-બાપ સંયમમાં રાજી હોય તો છતી સંપત્તિએ પણ સંયમી થનાર પુત્ર માબાપના સંતોષ ખાતર થોડો સમય રોકાઈ જાય છે, તો નિરાધાર અવસ્થામાં તો માબાપને મૂકીને જાય જ શાનો ? દીક્ષાભિલાષી તો પોતાનાં મા બાપને કદી જેમના ઉપકારનો બદલો વળી ન શકે તેવાં માને છે. દુનિયામાં અઢારે પાપસ્થાનકોને સેવનારો પણ જો માબાપની ૪ અવજ્ઞા ન કરે તો આવો સંયમી થનારો અવજ્ઞા કરે એવું તમે માનો છો કઈ રીતે ?