________________
1243 – ૪ : જેનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૫૫
ગોશાળાને અંતિમ સમયે વિચાર આવ્યો કે-“હું મહાપાપી ! ભયંકર ગુરુદ્રોહી ! સાચા જિન તો ભગવાન મહાવીર જ !” પાપાત્માએ એ પરમાત્માની ઘોર આશાતના કરી.... વગેરે ! બસ ! છેલ્લી ઘડીએ આ પશ્ચાત્તાપના ભાવથી એ પામી ગયો, એની મુક્તિ નિશ્ચિત થઈ ગઈ. પણ અહીં વિચારવાનો મુદ્દો એ છે કે એ છેલ્લી ઘડીએ આ ભાવના આવી શાથી ? તેનું કારણ એ જ કે લાંબો કાળ ભગવાનના સહવાસમાં રહ્યો હતો, તેજલેશ્યા પણ એ ભગવાન પાસે શીખ્યો હતો, ભગવાનનું સંયમ લાંબા કાળ સુધી નજરે જોયું હતું; પણ જો સહવાસમાં જ ન આવ્યો હોત તો આ ભાવના આવત પણ નહિ અને એની મુક્તિ નિયત થાત પણ નહિ.
ગોશાળા માટે શાસ્ત્રકારોએ ઓછું નથી લખ્યું. એને ઘોર પાપાત્મા કહ્યો, નરકાદિ અનેક ભયંકર દુર્ગતિઓમાં ભટકનારો જણાવ્યો પણ એ જ શાસ્ત્રકારોને ભગવાનના કથન મુજબ “એની મુક્તિ નિયમા છે' એમ પણ લખવું પડ્યું. આ શાસન અનુપમ છે તે આથી જ. એ જ ગોશાળા માટે ગૌતમ મહારાજાના પૂછવાથી પરમાત્મા મહાવીરદેવે જણાવ્યું કે “એ બોધિબીજ પામી ગયો.”
' નિયમ ન લેવાની ભાવનાએ નિયમ ભાંગવાના ભયની મોટી મોટી વાતો કરનારાઓને નિયમ લેતી વખતના પ્રશસ્ત પરિણામની કિંમત નથી. ચાર દિવસ માટે બ્રેડપતિ બનેલો પછી ભલે એ સાહ્યબી ચાલી જાય અને જીવનભર દરિદ્રી રહે, તો પણ જીવે ત્યાં સુધી પેલા ચાર દિવસની સાહ્યબી એ ભૂલતો નથી. એને એમ જ થયા કરે કે એ દિવસો પાછા ક્યારે આવે ? આનાથી ઊલટું, વર્ષોનો દરિદ્રી અચાનક માલદાર થાય એટલે ચાર દહાડામાં જ પોતાની પૂર્વની સ્થિતિ ભૂલી જાય છે. ચાર દહાડા પહેલાં પોતે કોણ હતો એનું ભાન એને રહેતું નથી અને સદમાં છકી જાય છે. મુદ્દો એ છે કે થોડા કાળ માટે પણ ભોગવેલી શ્રીમંતાઈનો સ્વાદ દરિદ્રતામાંયે ભુલાતો નથી તેવી રીતે દુષ્કર્મ યોગે કોઈ આત્મા નિયમથી પડે તો પણ નિયમ લેતી વખતેનો અને પાળ્યો તેટલા સમયનો સ્વાદ તો મોટા ભાગે એને રહી જ જાય છે. ફરી એ ક્યારે પામે ? એ ભાવના એને રહ્યા જ કરે. વળી એ આત્મા બિલકુલ નિયમ નહિ લેનારા આત્મા જેવું પાપ કરે છે તે રીતે કદી પાપ કરતો નથી. એના અને પેલાના પરિણામમાં આસમાન-જમીનનું અંતર હોય છે. વળી ભગવાન પાસે નિયમ લેનારાઓથી પણ નિયમનો ભંગ થાય છે અને નિયમ ભાંગવાનો છે એવું જાણવા છતાં તેની યોગ્યતા જોઈ ભગવાને નિયમ આપ્યો છે. ભાંગી જાય માટે નિયમ લેવો જ