SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ 1241 – ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 ચડે તે જ પડે પણ એ પડેલા ચડવાના જ ઃ ઘણા આજે એમ કહે છે કે-“અમે નિયમ નથી લેતા, કારણ કે ભાંગે તો પાપમાં પડીએ.” આવાને હું એમ તો ન જ કહું ને કે-નિયમ ભાંગે તો કાંઈ વાંધો નહિ, તું તારે નિયમ લઈ લે ! વળી એની વાતમાં સંમત પણ ન થવાય. આમ બેય બાજુ મુશ્કેલી છે. મારે એને એમ જ પૂછવું પડે કે નિયમ ભાંગે શા માટે ? દુનિયાની નાશવંત ચીજો મેળવવા દોડાદોડી કરે છે ત્યાં “આ ચાલી જવાની છે” એવો વિચાર કરવા નથી થોભતો અને નિયમની વાતમાં જ આવી નિર્બળતા કેમ ? - ઘણાએ નિયમ લીધો અને પાળી ન શક્યા. પણ લેતી વખતેની સુંદર પરિણામની ધારાથી એ આત્માનો એકડો નિશ્ચિત થઈ ગયો. આનો અર્થ એવો ન કરાત કે નિયમ ભાંગવામાં હરકત નહિ. આજે તો આવી વાત સમજાવવામાં પણ જોખમ છે. બહાર જઈને બોલે કે-“મહારાજ કહેતા હતા કે નિયમ લેવો, પછી ન પળાય ને ભાંગે તો વાંધો નહિ.' તમે આવું ન બોલતા. એવાં પણ શાસ્ત્રમાં દૃષ્યતા છે કે જેમાં અમુક આત્માઓએ નિયમ લીધો અને તરત પડ્યા, છતાં એમના માટે શાસ્ત્ર કહ્યું કે “એ પામી ગયા એ પાછા માર્ગે આવવાના જ અને આરાધના કરી મોક્ષમાં પહોંચી જવાના.' ભાંગવાની બીક બતાવી નિયમ લેવા જ ન દે એનો નિખાર થાય શી રીતે ? રખડપટ્ટનો અંત જ ન આવે. મુનિપણું પામ્યા પછી પડેલા આત્માઓની સંખ્યા નાનીસૂની નથી એમ શાસ્ત્ર કહે છે પણ એ જ શાસ્ત્ર કહ્યું કે એ નિયમા મુક્તિએ જવાના. એ જ રીતે નિર્નવોનાં નામ પણ મુક્તિએ જવામાં શાસ્ત્ર લખ્યાં. કેમ લખ્યાં ? પડ્યા એ ચડવાના ત્યારે જ ને ? જે ચડ્યા જ નથી એ પડે ક્યાંથી ? ચડે તે પડે અગર ચડનારે પડવું જ જોઈએ, એવો નિયમ નહિ, પણ ચડે તે પડે પણ ખરા.. અને ચડેલા પડે તે પાછા ચડે પણ ખરા. પણ જે પડવાની બીકે ચડતો જ નથી એની શું દશા ? એ તો ત્યાંનો ત્યાં જ રહેવાનો અને ભટક્યા જ કરવાનો. અજીરણ તો માલ ખાય તેને થાય. ભિખારીને શું થવાનું ? એને તો પેટપૂર અનાજનાં જ જ્યાં ફાંફાં હોય ત્યાં અજીરણ થાય ક્યાંથી ?પડવાની બીકે ચડવાની મનાઈ ન હોય. આજે તો એમ પણ કહે છે કે-“નિયમ તો કરવો જ નહિ. કેમકે જો નિયમ ભાંગે તો ન લેવા કરતાં ડબલ પાપ લાગે.” એથી પણ આગળ વધીને કહે છે કેમનશુદ્ધિ વગર ક્યિા નકામી છે, મન શુદ્ધ ન હોય તો મંદિર પણ નકામું છે અને જો મન શુદ્ધ હોય તો મંદિરમાં જવાની જરૂર પણ શી છે ?” આવી આવી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy