________________
૫૩
1241 – ૪ : જૈનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 ચડે તે જ પડે પણ એ પડેલા ચડવાના જ ઃ
ઘણા આજે એમ કહે છે કે-“અમે નિયમ નથી લેતા, કારણ કે ભાંગે તો પાપમાં પડીએ.” આવાને હું એમ તો ન જ કહું ને કે-નિયમ ભાંગે તો કાંઈ વાંધો નહિ, તું તારે નિયમ લઈ લે ! વળી એની વાતમાં સંમત પણ ન થવાય. આમ બેય બાજુ મુશ્કેલી છે. મારે એને એમ જ પૂછવું પડે કે નિયમ ભાંગે શા માટે ? દુનિયાની નાશવંત ચીજો મેળવવા દોડાદોડી કરે છે ત્યાં “આ ચાલી જવાની છે” એવો વિચાર કરવા નથી થોભતો અને નિયમની વાતમાં જ આવી નિર્બળતા કેમ ? - ઘણાએ નિયમ લીધો અને પાળી ન શક્યા. પણ લેતી વખતેની સુંદર પરિણામની ધારાથી એ આત્માનો એકડો નિશ્ચિત થઈ ગયો. આનો અર્થ એવો ન કરાત કે નિયમ ભાંગવામાં હરકત નહિ. આજે તો આવી વાત સમજાવવામાં પણ જોખમ છે. બહાર જઈને બોલે કે-“મહારાજ કહેતા હતા કે નિયમ લેવો, પછી ન પળાય ને ભાંગે તો વાંધો નહિ.' તમે આવું ન બોલતા. એવાં પણ શાસ્ત્રમાં દૃષ્યતા છે કે જેમાં અમુક આત્માઓએ નિયમ લીધો અને તરત પડ્યા, છતાં એમના માટે શાસ્ત્ર કહ્યું કે “એ પામી ગયા એ પાછા માર્ગે આવવાના જ અને આરાધના કરી મોક્ષમાં પહોંચી જવાના.'
ભાંગવાની બીક બતાવી નિયમ લેવા જ ન દે એનો નિખાર થાય શી રીતે ? રખડપટ્ટનો અંત જ ન આવે. મુનિપણું પામ્યા પછી પડેલા આત્માઓની સંખ્યા નાનીસૂની નથી એમ શાસ્ત્ર કહે છે પણ એ જ શાસ્ત્ર કહ્યું કે એ નિયમા મુક્તિએ જવાના. એ જ રીતે નિર્નવોનાં નામ પણ મુક્તિએ જવામાં શાસ્ત્ર લખ્યાં. કેમ લખ્યાં ? પડ્યા એ ચડવાના ત્યારે જ ને ? જે ચડ્યા જ નથી એ પડે ક્યાંથી ? ચડે તે પડે અગર ચડનારે પડવું જ જોઈએ, એવો નિયમ નહિ, પણ ચડે તે પડે પણ ખરા.. અને ચડેલા પડે તે પાછા ચડે પણ ખરા. પણ જે પડવાની બીકે ચડતો જ નથી એની શું દશા ? એ તો ત્યાંનો ત્યાં જ રહેવાનો અને ભટક્યા જ કરવાનો. અજીરણ તો માલ ખાય તેને થાય. ભિખારીને શું થવાનું ? એને તો પેટપૂર અનાજનાં જ જ્યાં ફાંફાં હોય ત્યાં અજીરણ થાય ક્યાંથી ?પડવાની બીકે ચડવાની મનાઈ ન હોય.
આજે તો એમ પણ કહે છે કે-“નિયમ તો કરવો જ નહિ. કેમકે જો નિયમ ભાંગે તો ન લેવા કરતાં ડબલ પાપ લાગે.” એથી પણ આગળ વધીને કહે છે કેમનશુદ્ધિ વગર ક્યિા નકામી છે, મન શુદ્ધ ન હોય તો મંદિર પણ નકામું છે અને જો મન શુદ્ધ હોય તો મંદિરમાં જવાની જરૂર પણ શી છે ?” આવી આવી