________________
૫૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1240 નહિ. કદી હોય તોયે એવા પ્રસંગે એને બહાર મોકલી દેવા પડે. એ રીતે નિયમ લેતાં પહેલાં જ ભાંગવાનો ભય બનાવનારાઓ પણ મૂર્ખ છે. જમ્યા
એ મરવાના નક્ક અને પરણે એટલે બેમાંથી એક વહેલે મોડે રાંડશે એ પણ નક્ક છે, છતાં એ બધી ક્રિયા ચાલુ જ છે; માત્ર નિયમ લેનારને જ ભડકાવવામાં કેમ આવે છે ? નિયમ લેવા આવનારને શું કહેવાય ?
શાસ્ત્રમાં બધી વાત આવે. નિયમ લે એને ચઢાવવાની, એનો મહિમા ગાવાની, એના પાલનની વિધિની, નિયમ ન ભાંગે તેની કાળજી રાખવાની, નિયમ ભાંગે તો શું થાય એ બધી વાતો શાસ્ત્રમાં તો જરૂર આવે. પણ એ વાતોનો ઉપયોગ કઈ રીતે કરાય ? રસોઈમાં ઘણા મસાલા આવે પણ એ વાતોનો ઉપયોગ કઈ રીતે કરાય ? રસોઈમાં ઘણા મસાલા આવે પણ એ બધા પ્રમાણસર ભેળવી રસોઈ બનાવાય છે અને તો એ બનાવેલી રસોઈ ખવાય છે ને વાંધો નથી આવતો. પણ જો રસોઈ કરનાર બાઈ લોટ અને રાંધ્યા વિનાના દાળ-ચોખા, લાકડાં અને પાણી જમનાર પાસે મૂકી દે તો ? તો જમનાર જમે શું ? એ રીતે ઉપદેશ પણ એ બધી વાતો ધ્યાનમાં રાખે; નહિ કે એકદમ ભય બતાવી નિયમ લેતો જે અટકાવી દે. જે કોઈ ભય બતાવી નિયમ લેતો અટકાવી દે એ ધર્મોપદેશ કે પાપોપદેશક ?
નિયમ લેવા આવનારને તો કહેવું જોઈએ કે “મહાનુભાવ ! તું બહુ ભાગ્યશાળી છે કે તને નિયમ લેવાના પરિણામ જાગ્યા. નિયમ લેવાના પરિણામ વિરલાને જ થાય છે. માટે જરૂર તું ઉત્તમ આત્મા છું. આ નિયમથી તો અનેક આત્માઓ મુક્તિએ ગયા છે.” નિયમ લેવા આવનાર આવું સાંભળે એટલે એના મનમાં પણ થાય કે “જરૂર, આ નિયમ એ બહુ ઉત્તમ ચીજ છે કે જેની પ્રશંસા વડીલો અને ગુરુઓ પણ આટલી કરે છે.' એ ઢીલો હોય તો પણ દૃઢ થઈ જાય. આ રીતે દૃઢ બનાવ્યા બાદ ઉપદેશક એને સાવચેતી પણ આપે કે “જો ભાઈ તું જે નિયમ લે છે તે બહુ ઉત્તમ છે, સાચવવા જેવો છે. બેદરકાર બનવાથી નિયમ ભાંગે તો બહુ પાપ લાગે માટે ખૂબ સાવચેત રહેજે. આ પ્રમાણે કહેવાય તો નિયમ લેવા આવનાર પણ એ વાત કબૂલે અને નિયમમાં વધુ સાવચેત બને. પરંતુ આવતાંવેંત જો પેલાને એમ જ કહે કે-“નિયમ લેવા તો આવ્યો છે પણ લેતાં પહેલાં વિચાર કરજે. ભાંગ્યો તો મર્યો સમજજે. ડૂબી જઈશ.” આવું સાંભળે એટલે પેલો નિયમ લેવા આવેલો નિયમ લીધા વિના જ રવાના થઈ જાય.