________________
1237 –– ૪ : જેનશાસનમાં નિયમનું મહત્ત્વ : - 84 – ૪૯ પ્રકાશ ન પડે. એ તો એમ જ મન વાળે કે-“બહુ આરંભ-પરિગ્રહથી નરકે જવાય, એ વાત ખરી, પણ મરતાં પહેલાં મૂકી દઈશ,પછી શો વાંધો છે ? મરણ ક્યારે આવશે એ નક્કી નથી એવું જાણવા છતાં આમ કહે જાય અને આરંભ પરિગ્રહમાં તણાયો જાય, એ ખરેખર પાપનો ભયંકર સટ્ટો ખેલી રહ્યો છે. આ રીતે જેવો પાપનો સટ્ટો ખેલતાં શીખ્યા છે તેવો ધર્મનો સટ્ટો ખેલતાં નથી શીખતા. વ્યવહારના કામમાં માંદો હોય તો પણ સાજાની જેમ દોડવા માંડે પણ દેરાસર જવું હોય તો જરાજરામાં માંદો ન હોય તોયે માંદો પડી જાય. હાથે જ નાડી તપાસી, “ઠીક નથી' એમ અભિપ્રાય આપી દે. જરા માથું દુ:ખે કે જરા પગ તૂટે તો ધર્મના કામમાં ઢીલો થઈ જાય અને એ જ પાછો બજારનો ટાઇમ થતાં ઊભો થઈને ચાલવા માંડે. માંદગી તે વખતે ભાગી જાય. આનું કારણ એક જ છે કે પાપના સટ્ટા ખેલવાની દુર્બુદ્ધિ એવી વધી ગઈ છે કે આ શાસ્ત્રોમાં આવતી વાતો તો ચોથા આરા માટે છે, એમ જ એ માને એટલે બધા દરવાજા ખુલ્લા થઈ જાય.
આગમમાં આવે કે અમુક પુણ્યાત્મા ત્રિકાળપૂજા કરત હતા, ત્યાં આજના પાપના સટ્ટા ખેલનારા કહી દે કે-“એ તો રાજા હતા અગર શ્રીમાન હતા, સગવડવાળા હતા. અમારી પાસે એવી સગવડ કે મોટી શ્રીમન્તાઈ હોય તો અમે પણ કરીએ.” પછી એમને પુણિયા શ્રાવકની વાત કરીએ તો કહેશે કે-“એ તો પુણ્યશાળી હતો. અમે ક્યાં એવા છીએ. ?” આમ ખોટા બચાવ રજૂ કરી શાસ્ત્રની વાતોને આઘી જ રાખે પછી હૈયામાં પ્રકાશ ફેલાય ક્યાંથી ?
સંસાર ભયંકર છે; એમાં ડૂબી ગયા તો ગતિ કઈ, એ ચિતા જ ભુલાઈ ગઈ છે. દુનિયાના કાર્યોમાં જેમ સટ્ટા ખેલાય છે તેમ અહીં પણ પરાક્રમ બતાવવું પડશે. દુનિયાનાં પાપકાર્યોમાં આત્મા જે વેગથી ધસ્યો જાય છે તેટલો વેગ નહિ, તો તેનાથી અડધો પણ વેગ ધર્મમાં જોઈશે કે નહિ ? બહુ આરંભ પરિગ્રહથી નરકગતિ માન્યા છતાં “અવસરે છોડી દઈશું. મરતાં સુધી નહિ વળગી રહીએ.' એમ કહીને ચલાવ્યે જ રાખે એ ભયંકર સટ્ટો છે. શ્રી જિનેશ્વરદેવે જેના પરિણામે નરકગતિ બતાવી તે જ વસ્તુને વળગી રહેવાનો સટ્ટો ખેલવો એ સારી વાત છે ? ના. એમાં ભયંકર સાહસ છે. આયુષ્યની ખબર નથી, જન્મ્યા તે બધા જ મરવાના એ નક્કી છે, છતાં એવો સટ્ટો ચાલુ રાખવો તેમાં તો સટ્ટાના શોખની અવધિ કહેવાય. ધર્મક્રિયામાં, મંદિર, ઉપાશ્રયે જવામાં સગવડ, સમય, ભાવના, શક્તિ એ બધાના અભાવના બહાનાં કાઢ્યા જ કરે પરન્તુ દુનિયાદારીનું કામ આવે ત્યાં એમાંનું એક પણ બહાનું ન નડે. જે રીતે દુનિયાદારીમાં રક્ત રહો છો ? તેવી રક્તતા અહીં ધર્મનાં કાર્યોમાં લાવવી પડશે.