________________
૪૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
136 કહેલાં અને ગણધરદેવોએ ગૂંથેલાં સૂત્ર તથા તેના અર્થનું નિરંતર સ્મરણ કરવું જોઈએ. સૂત્ર-અર્થનું સ્મરણ કરવાથી ભગવાનની આજ્ઞા નિરંતર યાદ રહે છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની યાદ ગઈ તો બધી મહેનત રદ સમજવી; કારણ કે એના વિના એ ઊંચાં અને ઉજ્જવલ ચિત્તકૂટો કઈ મિનિટે નીચાં અને મલિન બને તે કહેવાય નહિ.
- સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારેય સૂત્ર તથા અર્થનું નિરંતર સ્મરણ કરવાનું છે. આજે તો આ વાતમાં મોટા વાંધા છે. કેટલાક તો કહે છે કેઆત્માના ધર્મની શુદ્ધિ માટે આગમનું કામ શું ?’ આવશ્યક સૂત્રો આજે કેટલાને આવડે ? અને એનો અર્થ તો જ્યાં રહેતો હોય ત્યાં જ રહે ને ? તમારે એની સાથે સંબંધ કેટલો ? શ્રી સંઘમેરૂનું ચિત્ત-એટલે સાધુ, શ્રાવક, શ્રાવિકાનું ચિત્ત ઊંચું, સ્વચ્છ અને ઝળહળતું હોય તો જ સંઘ દીપે; નહિ તો એ શ્રી સંઘમેરૂની શોભા નથી.
આ શોભાના મૂળ પાયામાં ઇંદ્રિયો તથા મનને કાબૂમાં રાખવા માટેના નિયમો છે. નિયમ આજે પાલવતા નથી. નિયમનું નામ સાંભળી દૂર ભાગવા માંડે એવા ઘણા છે. રખે કોઈ એકાદો નાનો પણ નિયમ કરે તો એમાં અનેક બારીઓ રાખે. પોતાને ક્યાંય જરા પણ અગવડ ન આવી જાય, એ પહેલાં વિચારે.
નિયમને અંગે આપણે ગઈ કાલે સાંત વ્યસનના ત્યાગથી વાતની શરૂઆત કરી હતી. શ્રાવક સાતે વ્યસનનો તો ત્યાંગી હોય જ. જેનાથી રાજદંડ થાય એવી ચોરીને તો શ્રાવક વર્ષે જ. પકડાયા પછી દંડ થાય, સજા થાય, નાલેશી થાય, એવી ચોરીથી શ્રાવક દૂર જ રહે, પણ આજે તો એ નિયમ કરનારા પણ શોધવા જવા પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. પાપના સટ્ટ :
મહાઆરંભ અને મહાપરિગ્રહ એ નરકનાં દ્વાર છે એમ શાસ્ત્ર કહે છે. એ વાત જાણવા છતાં “પાંચ લાખ પહેલાં મેળવા લઉં,” પછી નિયમ કરીશ. એવા પ્રકારની ભાવના રાખીને આરંભ-પરિગ્રહને નિભાવે જ જાય એ એક પ્રકારનો સટ્ટો જ છે ને ? નિયમ કરતાં પહેલાં જ એ મહા આરંભ-પરિગ્રહમાં કદી ખપી જવાય તો ગતિ કઈ થાય ! એ યાદ નથી રહેતું. આ પણ એક જાતનો પાપનો સટ્ટ જ સમજી લેવો.
સભા ‘સમજ્યા છતાં હૈયામાં પ્રકાશ કેમ નથી પડતો ?' ન પડે; કારણ કે પાપના સટ્ટાનો શોખ છે. એ શોખ છૂટ્યા વિના હૈયામાં