SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ 12૩૩ ——– ૩: એવાઓથી સાવધાન રહેજો! - 83 — ૪૫ હોળી આવે છે, એમાં પાપને બાળી નાંખો ! હવે નિયમો લેવાના નક્કી કરી લખી લાવો. હોળી નજીક આવે છે. ચોમાસી પર્વ ઊજવો અને હોળીમાં પાપને બાળો. નાટક, ચેટક, સિનેમા, હોટેલ, રાત્રિભોજન, દુર્બસન આદિ પાપોને હોળીમાં બાળીને ભસ્મ કરો. જૈનો જ્યાં ત્યાં ખાય ? જૈનો એઠું મૂકે ? બે ઘડી પછી એંઠવાડમાં સંમૂચ્છિમાં ઉત્પન્ન થાય એ જૈનો ન જાણે ? આજે તો ભાઈ જમીને ઊઠે એટલે એની થાળી એવી હોય કે બાઈને જોવી પણ ન ગમે. શ્રાવકની થાળી તો એવી હોય કે સાફ કરનારને રાખ પણ ઘસવી ન પડે. શ્રાવક ઘરનો એંઠવાડ પાડોશીને ત્રાસ ન આપે. પત્ની ધારે તો પતિને સુધારી શકે. પાસે બેસી ગરમાગરમ વસ્તુ પચીસ વાર પીરસે પણ છાંડવા ન દે. ગુરુનું ન માનનારા પણ પત્નીનું તો માને; પરંતુ બાઈઓની ભાવનામાં પણ પોલાણ પેઠું હોય ત્યાં શું થાય ? એને પણ સોનાની બંગડીઓ ને નવી નવી સાડીઓ મળે એટલે ફરજનું ભાન ભુલાઈ જાય. એકને લાલચ મૂંઝવે ને બીજાને વિષયાધીનતા મૂંઝવે. આમાં ઉદ્ધાર ક્યાંથી થાય ? | માટે હવે નબળાઈને ખંખેરી નાંખો. હોળીમાં પાપને જલાવો અને નિયમો લઈ ચોમાસી પર્વ ઊજવો તો શાસનપ્રેમીનો ઇલ્કાબ શોભે. અજ્ઞાન લોકો ગમે તેમ બોલે એની સામું ન જુઓ પણ ધર્મીનો ઇલ્કાબ દીપે એ રીતે વર્તો. આપણે મોટી સભામાં શોભા માનતા નથી. થોડા પણ ચુનંદા હોય તેમાં શોભા માનીએ છીએ. ખોટી નામનાના પૂજારી નથી. જગતની વાહવાહ માટે ધર્મને ડુબાડનારા પરિણામે પોતે જ ડૂબે છે. સંઘમેરૂનું ચિત્ત દીપે શાથી ? નિયમરૂપી સુવર્ણ શીલાતલ પર ગોઠવાય તો. તમારાથી શક્ય હોય તેવા નિયમો લો. થોડું આત્મબળ કેળવો. સાવ પાંગળા ન બનો. ચોમાસી પર્વ ઊજવી હોળીમાં પાપને બાળો-આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy