________________
11
૩: એવાઓથી સાવધાન રહેજે ! - 83.
જૈન, સાત વ્યસનનો ત્યાગી જ હોય ?
જૈનોને સાત વ્યસનનો નિયમ તો હોય જ ને ? એ સાત વ્યસન કયાં ?
૧. માંસ, ૨. મદિરા, ૩. શિકાર, ૪. ચોરી, ૫. જુગાર, ૬. પરસ્ત્રીગમન, ૭. વેશ્યાગમન. આ સાત વ્યસનને સેવનારો ઘોરાતિઘોર નરકમાં જાય છે એમ શાસ્ત્રો કહે છે.
સભાઃ “સટ્ટો અને રેસ એ જુગાર કહેવાય ને ?'
જરા થોભો ! સટ્ટો એ જુગારનો બાપ છે, પણ જેઓ સટ્ટાના વેપારમાં સપડાયા જ છે અને એના સિવાય બીજો ધંધો કરી શકે એમ નથી તેઓ એને ગૌણ રાખીને પણ નિયમ લઈ શકે છે. બાકી સાત વ્યસનના ત્યાગીએ સો છેડવો જોઈએ. જો સટ્ટો બંધ થાય તો આજે ઘણી શાંતિ થઈ જાય. સટ્ટ જેવી અશાંતિ બીજે ક્યાંય નથી. સટ્ટામાં લાખ આવે અને લાખ જાય એ વાત સાચી, ઘણા ગરીબો સટ્ટાથી શ્રીમાન બન્યા એ પણ ખરું, પણ એ એક શ્રીમાન બને તે પાંચ-પચીસના ભોગ બને છે. એ ધન એવું કે નફામાં પણ એને શાન્તિ ન હોય. જીત્યો કે ડબલ ખેલે. સોદામાં જ સપડાયેલો હોય. તેમાંયે વલણના દિવસે તો દોડધામ ને ઉપાધિનો પાર ન હોય. આબરૂ જળવાશે કે નહિ એની મોટી ફીકર. હિરાની વીંટી સામે જોયા જ કરે. ઇજ્જત રહે તેમ નથી એવું લાગે તો થોડું સંતાડે પણ ખરો; કેમકે પાછળ જોઈએ તો ખરું ને ? કોની પાસે માગવા જવું ? આ બધી ઓછી પંચાત નથી. તૈયાર માલના વેપારીને આવી કાંઈ ફીકર નહિ. ભાવ ભલે ગમે તે હોય પણ માલ તો પોતાના તાબામાં ખરો ને ? સાતે વ્યસન તજાય તો સારું કામ થઈ જાય. દીક્ષામાં તમને બાધ આવે છે પણ આમાં તો બાધ ન આવે ને ?
સભાઃ “આમાંયે બાધ હોય તો ?
તો તો કહો કે અમને ધરમથી જ બાધ છે; અર્થકામની જ ગુલામી ગમે છે; એમ નક્કી થાય છે. દયા આવે છે માટે કહું છું કે અર્થકામ તમને નહિ બચાવે. આજે બહારનું વાતાવરણ ભયંકર છે. તમે એ વાતાવરણમાં તણાયા છો માટે આ બધી મહેનત પડે છે. ગામડાંના જૈનો હજી આ વાતાવરણથી અલિપ્ત હોઈ ગુરુઓના વગર સમાગમે પણ ધર્મ સાચવી શકે છે. જૈનથી આ ન ખવાય, આમ ન થાય, એ બધું તેઓ સમજે છે અને પાળે છે.
વસ્તુની રક્ષા માટે વાડનું બંધન જોઈએ જ. દુધાળાં જાનવરને રખડતાં ન મુકાય. મૂકો તો કોઈ પણ દોહી લે. ચરવા મોકલવાં હોય તો પણ માણસ સાથે