________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
પણ કહે છે કે ‘મન જેનું કાબૂમાં ન હોય તે નિયમ લે, જેને મન કાબૂમાં છે તેને નિયમની જરૂર શી ?’ એની સામે મારો પ્રશ્ન છે કે ‘જો મન કાબૂમાં હોય તો નિયમ લેવામાં હરકત પણ શી ?' ત્યાં કહેશે કે ‘કદાચ....’ એ ‘કદાચ’માં જ અંદર પોલાણ છે.
૪૨
1230
અહીં ‘દીક્ષા' એ જ નિયમ એમ ન માનો. દીક્ષા પણ ત્રણ પ્રકારની છે. સર્વવિરતિ, દેશિવરતિ અને સમ્યક્ત્વ. એ ત્રણેમાં દ૨ેકના અધિકાર મુજબ જુદા જુદા પ્રકારના નિયમો છે. એ પણ ન બને તો દુનિયાનાં પાપોથી બચવાના બીજા પણ ઘણા નિયમો છે. પણ તમને નિયમો લેવાની ભૂખ જાગી છે ખરી ?
તમે ખાઓ કેટલું ? ભોગવો કેટલું ? આજના કોટ્યાધિપતિઓ તો ઘણા ભાગે કાંઈ ખાઈ શકતા જ નથી. મોટા ભાગે એ બધા રોજના રોગી. અપચાની એમની ફરિયાદ કાયમની. ચાહ, પાન, સિગારેટ ઉપર તેમનું જીવન. એ ધારે તો ઘણી ચીજના નિયમ કરી શકે. પણ એમને કરવા નથી. કેમ ? એને હજી સંસારનો ભય અને મોક્ષની ઇચ્છા જાગી નથી.
આ મહર્ષિ કહે છે કે-સંસારનો ભય જાગ્યો હોય અને મોક્ષપ્રાપ્તિની ઇચ્છા હોય તો ઇંદ્રિયોને જીતવાનો પ્રયત્ન કર.
ચારે ગતિઓમાં સંચરવું તે સંસાર-‘સમ્યક્ છે સાર જેમાં તે સંસાર’ એવો અર્થ અહીં ક૨વાનો નથી. એ અર્થ કરવો હોય તો દેવ, ગુરુ, ધર્મ અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે સાર જેમાં-એ અર્થ કરો. આખું ચોમાસું ગયું, શિયાળો ગયો, આઠ આઠ મહિના ગયા છતાં હજી પાક દેખાતો નથી. એક પણ ઋતુમાં પાક ન થાય એ ભૂમિ કેવી ? ઉખર. પણ તમને એ કલંક ન અપાય. આ ભૂમિ તો રસાળ છે. સંઘનું વર્ણન ચાલે છે. એમાં તો ઘણી કઠિન અને ભારે પડે તેવી ઘણી વાતો આવશે. એને માટે તમારે યોગ્યતા કેળવી તૈયાર થવું પડે, નહિ તો હીણપત લાગે.
બેય ઠેકાણે ‘હા’જી ન ચાલે. એકલા રહેવું પડે તે હા, પણ સત્ય ન છોડાય. સત્ય ન છોડવાની ટેકવાળો હોય એ સંઘ અને એ જ સંઘમાં આટલું કૌવત તો જોઈએ જ. વિરોધીને પણ કહેવાનું કે અમને કોઈ કદાગ્રહ નથી. તમારી વાત સાચી પુરવાર કરો તો શરણે આવવા તૈયાર છીએ; પણ સાચું છોડી ખોટું પકડવાની તો તૈયારી નથી જ. તમને ધમકી આપશે કે-‘એકલા રહેશો, મરશો ત્યારે મડદાંને બાળવા પણ કોઈ નહિ આવે' તો કહી દેવાનું કે ‘એવી ચિંતા અમે કરતા નથી.’ આ તો છેલ્લી કોટિની વાત છે, પણ ગભરાઓ નહિ; ધર્માત્માઓ માટે એ વખત હોય જ નહિ; એવો વખત તો પાપાત્માઓને આવે.