________________
४०
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- - : 128
પાક્યા છે. જે જૈનોએ એવા ખાતામાં પૈસા આપ્યા હોય તેઓએ હવે પ્રાયશ્ચિત્ત કરી લેવા જેવું છે. ભૂલથી પણ ઝેર ખવાઈ ગયું તો તે કઢાવી નાખવું જોઈએ. અજ્ઞાનથી થયેલું પાપ પણ માર્યા વિના ન રહે. અજ્ઞાન એ બચાવ નથી પરંતુ અજ્ઞાન એ જ મોટું પાપ છે. એમને કહી દો કે-“અમારા પૈસા તમારા માટે નથી?”
અનુકંપાનો આ શાસનમાં નિષેધ નથી. દુખીને આપો, કોઈ રોતો આવે તો જરૂર આપો. રોતો આવેલો ઘેરથી રોતો પાછો ન જવો જોઈએ. ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ આપો; પરંતુ પુણ્ય ખાતાઓ માટે જેમ તેમ બોલતો આવે તો તેની ખબર લો. હવે પોલ ન ચલાવો. ભગવાને સાત ક્ષેત્ર કહ્યાં છે, એ સાતમાંથી કયા ક્ષેત્ર માટે મદદ માગે છે એ પૂછો ! એ કહે કે સાધર્મિક માટે, તો પૂછો કે “સાધર્મિક એટલે શું? વાણિયો માટે સાધર્મિક એમ ન ચાલે. એમ જેને તેને આપશો નહિ.” અનુકંપાદાનમાં લાંબું ન જુમો તે બરાબર છે પણ જ્યાં પાત્રતા જોઈને આપવાનું છે ત્યાં ભોળપણ ન ચાલે. પાત્રની વ્યાખ્યા કરતાં કહ્યું કે
પાપા ત્રાયતે રૂતિ પાત્ર: I – “પાપથી બચાવે તે પાત્ર.”
પણ જેને પોતાને જ પાપથી બચવાની ચિંતા ન હોય તે બીજાને ક્યાંથી બચાવે ? તમે આટલા સાવધ થાઓ તો એ નામદારોના પગ નીચેથી જમીન સરકવા માંડે અને તેમની અક્કડાઈ ઓસરવા માંડે. આજે તો તમારા પૈસાનો જ વહીવટ કરીને એ લોકો જોરમાં આવ્યા છે અને દમામથી બીજાને હેરાન કરે છે. પોતે અક્કડ રહે છે, ખોટા ધમપછાડા મારે છે અને ઊંચી ફિલોસોફીની વાતો કરે છે. એ કહે છે કે “યુરોપમાં આવા આવા ફિલોસોફરી છે અને આપણે પણ એવા પકવવા છે.” એમને પૂછો કે “એવા પકવીને પછી કરવાનું શું છે ?” શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ એક કદમ પણ નહિ ભરે એવું લખી આપો છો ?” તો તરત જ કહેશે કે “એવું ગુલામીખત નહિ થાય.”
એવાઓને તો હવે બરાબર ખુલ્લા પાડો અને જાહેર કરી દો કે જૈન સમાજના પૈસાથી ભણેલા આ નામદારો એવા મૂઢ અને કૃતઘ્ન છે કે જેના પૈસાથી પોતે ભણ્યા, ડીગ્રીઓ મેળવી, તેમને જ હવે અભણ, મૂર્ખ અને અંધશ્રદ્ધાળુ કહીને તેમની નિંદા કરે છે. એટલેથી જ જાત પર હુમલો કરતા હતા, તે હવે તેમના પૂજ્યો સુધી આગળ વધ્યા. ગુરુઓને તો તેઓ નકામા અને સમાજને ભારભૂત ગણે છે. મંદિર મૂર્તિ, આગમ એ બધા પર હલ્લો કર્યા પછી હવે દેવદ્રવ્ય તેમની નજરે ચઢ્યું છે. બાકી શું રહ્યું ?
સભા: ‘હવે ફાવતી નોવેલો લખાય છે.”