________________
૫૭૨. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
170 , જ છે. એના પ્રકાશનમાં સઘળુંયે આવી જાય એવી એ અનુપમ વસ્તુ છે એ પ્રકારની બુદ્ધિ હૈયામાં જાગ્રત થવી જોઈએ. જિનમતને ગૌણ કરવો પડે એવો કોઈ કાળ છે ? એવો કાળ આવે એવું ઇચ્છો છો ? મહાવ્રત વિના, મહાવ્રતના પરિણામ વિના પણ મુક્તિ મળે એવો કોઈ કાળ છે ? વિષય કષાયની લાલસાની પ્રવૃત્તિથી પણ મુક્તિ મળે એવો કાળ હોય છે એમ કહી શકશો ખરા ? રાગી કદી સુખ પામી ન શકે?
આત્માનું સ્વરૂપ ન સમજાય, સ્વરૂપનો વિભાગ ન થાય ત્યાં સુધી ગમે તેટલી સાહ્યબી છતાં આત્માને વાસ્તવિક શાંતિ ન મળે. નામની શાંતિની વાત આપણે નથી કરતા. મોજથી ખાવુંપીવું, ગાદીતકિયે બેસી મહાલવું એ બધાના આનંદ ક્ષણિક છે અને એની પાછળ રોવાનું સર્જાયેલું છે. રસપૂર્વક જન્મ્યાનું સુખ પરિણામે દુઃખ લાવનાર છે. રાગી કદી સુખ પામી ન શકે. દુન્યવી: સામગ્રીના યોગે મળેલો આનંદ અંતે નાશવંત છે. સમય ગયો પછી હાલત બૂરી છે. એ આનંદ જેને ભયંકર લાગે એ જ ધર્મના માટે લાયક છે. એમાં જ્યાં સુધી લહેજત આવે છે ત્યાં સુધી તમારે અને અમારે અથડામણ રહેવાની. મંદિરમાં બેઠેલા ભગવાન સર્વજ્ઞ છે અને તમારા મનના તમામ ભાવને જાણે છે એમ જાણ્યા પછી જે રીતે બોલો છો અને વર્તે છે તેમ વર્તાય ખરું ? “તાર હો તાર...” એ શબ્દો બોલતાં પાપની ગભરામણ છૂટે.’ પણ આજની ક્રિયા ગ્રામોફોનની રેકોર્ડ જેવી થાય છે. ભાવસ્તવ વખતે તો નિર્વેદનાં ઝરણાં ઝરવાં જોઈએ. પોતાની નિંદા અને તારકનાં ગુણગાન એ નિર્વેદ છે. દરેક સ્તવનોમાં આ બે વાત આવે છે. તમામ દોષો ટાળીને પરમાત્મા જેવા ગુણવાન થવા માટે આ બધો પ્રયત્ન છે. ભાવપૂજાનું રહસ્ય જ આ છે. દ્રવ્યપૂજાનો હેતુ
દ્રવ્યપૂજાનો હેતુ એ છે કે આ આત્મા પુદ્ગલથી ટેવાઈ ગયો છે, એની દૃષ્ટિ જ્યાં ત્યાં ભટકી રહે છે, એ દૃષ્ટિને અહીં સ્થિર કરવા માટે દ્રવ્યપૂજા છે. ઉત્તમ દ્રવ્યો, સુગંધી પુષ્પો, આકર્ષક અંગરચના, એ બધાનો ઉદ્દેશ એ જ છે. દ્રવ્યપૂજા એ ભાવપૂજા માટે છે, ભાવની વૃદ્ધિ માટે છે. દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા નહિ કરનારનો શ્રમ ફોગટ છે. ભાવને આઘો કર્યો તો દ્રવ્ય નિષ્ફળ છે. પ્રભુની દ્રવ્યપૂજા કર્યા બાદ જ્યારે ભાવપૂજા કરવા પ્રભુની મૂર્તિ સામે દૃષ્ટિ ઠેરવીને પૂજક બેસે કે તરત એને પ્રશ્ન થાય કે, “હું કોણ ? અને પરમાત્મા કોણ ?' તરત પોતાના દોષની નિંદા થાય અને એ તારક પરમાત્માના ગુણનાં