SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 152 ઢાંકી દીધું હતું. એવા લોકોના હાથમાં આ પાનાં આવે ત્યારે આસ્તે રહીને છેવટે કહી દે કે “આ બધું લખેલું સાચું પણ અવસર જોઈને એ બોલાય. અત્યારે બોલવા માટે આ ન હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને નહિ જાણનારાએ અત્યારે આવા ગ્રંથો બહાર કાઢ્યા છે. અમે એવું ન કરીએ. ચૌદસો વર્ષ પહેલાંના ગ્રંથોનો આજે ઉપયોગ થાય ? જેનાથી કષાય વધે એવાં શાસ્ત્રો ન વંચાય !” આજની હાલત કેવી છે! એ બિચારાને એમનો પક્ષ માંડતા પણ નથી આવડતો. કુબુદ્ધિથી જ્ઞાન અવરાઈ ગયું છે. એમના કરતાં તો એમનો પક્ષ હું સારી રીતે માંડી આપું, પણ મારે મારી જિંદગી પર અગ્નિ મૂકવો હોય તો જ એ બને. એ તો કહે છે કે, લોકો જ્યારે યોગ્ય હતા ત્યારે આવું બોલાય તે ચાલે. પણ અત્યારે આવી વાતો ચાલે ? જેવો લોક તેવી ભાષા બોલાય. જો કંદમૂળમાં પાપ છે તેવો હાઉ ઊભો ન કર્યો હોત તો લોક સુખે કંદમૂળ ખાત અને શરીરની તંદુરસ્તી સુધારત.” આવી વાતો કરે તોય મૌન રહેવાનું ? જ્યાં મારાપણું મનાય ત્યાં મૌન ન હોય. સમ્યગુદૃષ્ટિ આત્માને જેટલો મરણનો ભય ન હોય તેટલો દુષ્ટોના સહવાસનો ભય હોય. અજ્ઞાનીઓના સહવાસને લઈને તો આજની હાલત ભયંકર બની છે. એક માણસ માંદો થઈને પથારીમાં પડ્યો એટલે એક જણ આવીને કહેશે કે. અહો ! મોં તો બહુ ફીકું પડી ગયું છે !” ત્યારે બીજો આવીને બોલશે કે, “દરદ તો બહુ વધી ગયું લાગે છે!” ત્રીજો વળી કહેશે કે, “આવા તાવમાં જ અમારો બાબો ગુજરી ગયો હતો. જ્યારે ચોથો કહી દે કે, “સાચવજો, દરદ તો બહુ ભયંકર લાગે છે.” આમ, પેલો શાંતિથી પડ્યો પડ્યો દરદ ભોગવતો હોય તેને એવો ત્રાસ ઉપજાવે કે પેલો પોતાને વગર મોતે જ મૂઓ સમજે. રોગ તો કાંઈ વધી નથી ગયો. પણ પેલા ચાર ડાહ્યાઓ આવીને મહોકાણ માંડી ગયા. આવા કારણે તો ડોક્ટરો સગાવહાલાને દર્દી પાસે આવવા જ નથી દેતા. ડૉક્ટર તો દર્દીની નાડી તપાસી “ઠીક છે એમ કહી દર્દીને આશ્વાસન આપે એટલે બૂમો પાડતો દર્દી પણ જરા શાંત થાય. ત્યાં દરદ ઘટ્યું નથી પણ આશ્વાસનથી શાંતિ વળી; જ્યારે આવનાર સગા તો જેટલા આવે એટલા નવું નવું ડહાપણ ડહોળતા જાય. એક કહે, “આ ડોક્ટર જ નકામો છે તો બીજો કહેશે કે, “આ દવા જ ઊંધી થાય છે. આમ જાતજાતની વાત કરી દર્દીને મૂંઝવી નાંખે એવી હાલત છે. આજના ભણેલાનો સંનિપાત! આગળ દરિદ્રાવસ્થામાં લોકો પાપોદય માનતા અને પુણિયા શ્રાવકને યાદ કરી શાંતિ લેતા. જૈનશાસનમાં આવી મનોવૃત્તિ હતી. આજના ભણેલા તો કહે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy