SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૩ 1751 - ૩ઃ આજ્ઞાપ્રેમ અને શાસનની વફાદારી - 116 લોકો વાંચે તો એમને ઊંચાનીચા કરી મૂકે. આ ગ્રંથ રચનારને તો એ લોકો પણ મધ્યસ્થ માને છે. “પક્ષપાતો ન મે વીરે' લખનારાનો જ આ ગ્રંથ છે. એમના યુવકસંઘની પત્રિકાના મુખપૃષ્ઠ પર એ મહાત્માનું આ વાક્ય લખાય છે. એ મહાત્મા જ આ બધું કહે છે, પણ તે એમને જોવું નથી. એ લોકો તો જ્યારે આ જાણશે ત્યારે બોલી ઊઠશે કે, “આ ગ્રંથ હરિભદ્રસૂરિજીનો ન હોય,” કેમ કે એમને આ ફાવે નહિ. આ ગ્રંથ શ્રી હરિભ્રદ્રસૂરિજી મ.નો નથી એવું પુરવાર કરવા એ લોકો આકાશપાતાળ એક કરશે અને સેવવાં પડશે એટલાં પાપસ્થાનકો પણ એને માટે સેવશે. એમની દૃષ્ટિ જ ફાવતું લેવાની છે. જિનપ્રતિમાની વાતમાં શું શોધ્યું ? “પ્રતિમાનો ઝઘડો સં. ૧૫૦૯માં નીકળ્યો અને ત્યારે ખંડન થયું માટે મંડનની જરૂર પડી, અત્યારે મંડનની શી જરૂર ?' આવું એમણે શોધ્યું. એમને પૂછો કે ધાડ આવે ત્યારે જ પહેરો મૂકો છો કે પહેલેથી મૂકો છો ? જો પહેલેથી જ મૂકતા હો તો વગર ખંડનના પ્રસંગે પણ મંડન થાય જ. આ તો સર્વજ્ઞના દીકરા હતા. વિરોધીની પણ કલ્પનામાં ન હોય એવી વાત ખાસ ઉપસ્થિત કરીને એનું ખંડન કરે એવા એ સમર્થ હતા. બાકી તો બે-ચાર દલીલ ઊભી કરે. પણ આ તો એવા વિદ્વાન કે વાદી જે શંકા ન કરે તે બધી પોતે ઊભી કરે અને પછી ખંડન કરે. મકાન બાંધે ત્યારથી જ ગૃહસ્થ બારણાં, નકુચા, સાંકળ વગેરે કરાવે છે. એ રીતે ખંડન પહેલાં પણ મંડન હોય જ. ડગલો સીવડાવે ત્યારથી જ ખિસ્સાં રખાવાય છે. પૈસો મળે ત્યારે ખિસ્સાં મુકાવવાં એવો નિયમ ન હોય. એ લોકો કેવા બુદ્ધિવાળા છે ? ગ્રંથની વાત જાણશે ત્યારે કહેશે કે, “આ સાધુઓ ક્યાંથી આવું બધું લાવે છે ?” પણ એ હોશિયાર એવા કે જેવું વાતાવરણ જુએ તેવી વાતો ફેલાવવા મંડી પડે. આપણે શ્રી નંદીસૂત્ર વાંચવા માંડ્યું એટલે પહેલાં તો ઘોંઘાટ કર્યો કે આવું કશું છે જ નહિ. પણ પછી તો એક માસિકમાં પણ લેનારે લેવા માંડ્યું એટલે ઠંડા થઈ ગયા. - - - - સભા: ‘એમના ગુરુઓને આ ખબર નહિ હોય ? અજ્ઞાન જાતિના ચોરને કાયદાની ખબર ન હોય. પણ એના સાથીદારોને તો બધી ખબર હોય. પણ પોતાનો ભાગ પડતો હતો એટલે જ્ઞાન અવરાઈ ગયું. એ તો જ્યારે હાથકડી પહેરવાનો વખત આવે ત્યારે યાદ આવે. ચોરીનો માલ રાખવામાં અને ખોટા દસ્તાવેજ લખવામાં શિક્ષા ભયંકર છે એમ બધા જાણે છે. પણ લોભના માર્યા એવાં કામ કરે છે ને ? માલ તિજોરીમાં મુકાય અને અચાનક ચાર પોલીસ આવતા દેખાય ત્યારે કાયદો યાદ આવે. અત્યાર સુધી લોભે જ્ઞાન
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy